રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ11 એપ્રિલ, 2026| Super Admin

સિદ્ધપુરમાં જમીન-મશીનરીના નામે રૂ. 2.73 કરોડની ઠગાઈ: બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

સિદ્ધપુરમાં જમીન-મશીનરીના નામે રૂ. 2.73 કરોડની ઠગાઈ: બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

સિદ્ધપુર જીઆઈડીસી વિસ્તારમાં ફેક્ટરી શરૂ કરવાના બહાને એક વેપારી સાથે રૂ. 2.73 કરોડની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સિદ્ધપુર પોલીસ મથકે નોંધાઈ છે. આરોપીઓએ વેપારીને એન.એ. થયેલી ભળતી જમીન બતાવી અન્ય જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો અને મશીનરી પેટે લીધેલા કરોડો રૂપિયા ઓળવી ગયા હતા.

સિદ્ધપુરની રૂદ્રાક્ષ સોસાયટીમાં રહેતા રીતેશભાઈ અરવિંદભાઈ ખત્રીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે.વર્ષ 2024માં રીતેશભાઈએ સેન્ટિંગ વાયર બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કર્યું હતું. આ માટે તેઓ સેન્દ્રાણા ગામની સીમમાં આવેલી જમીન જોવા ગયા હતા, જ્યાં આરોપી અમીનભાઈ અહમદભાઈ પલાસરાએ તેમને સર્વે નંબર 1229 પૈકી 3 વાળી જમીન બતાવી હતી.જોકે, વિશ્વાસમાં લઈ આરોપી અમીનભાઈએ વેપારીને સર્વે નંબર 1229 પૈકી 2 વાળી જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. આ જમીન પેટે વેપારીએ કુલ રૂ.1,05,50,000 ચૂકવ્યા હતા.

છેતરપિંડીનો સિલસિલો અહીં જ ન અટકતા, આરોપી અમીનભાઈએ તેના ભાઈ અકબરભાઈ અહમદભાઈ પલાસરાની મશીનરી બનાવવાની ફેક્ટરી હોવાનું જણાવી પ્રોજેક્ટ માટે ત્યાંથી મશીનરી લેવા વેપારીને સમજાવ્યા હતા. વેપારીએ કેનેરા બેન્કમાંથી લોન મેળવી અકબરભાઈના બેન્ક ખાતામાં ટુકડે-ટુકડે રૂ. 1,67,98,000 જમા કરાવ્યા હતા. લાંબો સમય વીતવા છતાં આરોપીઓએ મશીનરી આપી નહોતી કે નાણાં પરત કર્યા નહોતા.

દરમિયાન, વેપારીએ ખરીદેલી જમીન પર બાંધકામ શરૂ કરતા અન્ય એક વ્યક્તિએ આવીને આ જમીન પોતાની હોવાનું જણાવી દસ્તાવેજો બતાવ્યા હતા. ત્યારે વેપારીને જાણ થઈ હતી કે તેમને બતાવેલી જમીન અને દસ્તાવેજમાં દર્શાવેલી જમીન અલગ-અલગ છે  આમ, જમીન અને મશીનરી બંને પેટે મળીને કુલ 2,73,48,000 ની છેતરપિંડી આચરવામાં આવી હતી.આ બનાવ અંગે રીતેશભાઈ ખત્રીએ સિદ્ધપુર પોલીસ મથકે અમીનભાઈ પલાસરા અને અકબરભાઈ પલાસરા (બંને રહે. બાસૂ, તા. વડગામ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ. કલમ 316(2), 318(4) અને 61 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર