રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા20 એપ્રિલ, 2025| Super Admin

બંગાળમાં હિંસાને લઈને થરાદમાં વિશ્વ હિંદુ પરિષદ નું આવેદન

બંગાળમાં હિંસાને લઈને થરાદમાં વિશ્વ હિંદુ પરિષદ નું આવેદન
વકફ કાયદાના વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ શાસનની માંગ; થરાદમાં વિશ્વ હિંદુ પરિષદે બંગાળની વર્તમાન સ્થિતિને લઈને આવેદનપત્ર આપ્યું છે. વકફ એક્ટના વિરોધની આડમાં બંગાળમાં થઈ રહેલી હિંસાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મુર્શિદાબાદથી શરૂ થયેલી હિંસા હવે સમગ્ર બંગાળમાં ફેલાઈ રહી છે. ૧૧ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ થયેલા હિંસક પ્રદર્શનમાં અનેક દુકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્રણ નાગરિકોની હત્યા થઈ હતી અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ હિંસાને કારણે ૫૦૦ થી વધુ પરિવારોને મુર્શિદાબાદ છોડવાની ફરજ પડી હતી. આવેદનપત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે રાજ્ય સરકાર હિંસા રોકવામાં નિષ્ક્રિય છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી પીડિત પરિવારોને મદદ કરવાને બદલે હિંસા ભડકાવનારા તત્વો સાથે બેઠકો કરી રહ્યા છે. વિશ્વ હિંદુ પરિષદે માંગ કરી છે કે કેન્દ્ર સરકારે તાત્કાલિક દખલ કરવી જોઈએ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ હિંસા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર