રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા20 એપ્રિલ, 2025| Super Admin

બંગાળમાં હિંસાને લઈને થરાદમાં વિશ્વ હિંદુ પરિષદ નું આવેદન

બંગાળમાં હિંસાને લઈને થરાદમાં વિશ્વ હિંદુ પરિષદ નું આવેદન
વકફ કાયદાના વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ શાસનની માંગ; થરાદમાં વિશ્વ હિંદુ પરિષદે બંગાળની વર્તમાન સ્થિતિને લઈને આવેદનપત્ર આપ્યું છે. વકફ એક્ટના વિરોધની આડમાં બંગાળમાં થઈ રહેલી હિંસાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મુર્શિદાબાદથી શરૂ થયેલી હિંસા હવે સમગ્ર બંગાળમાં ફેલાઈ રહી છે. ૧૧ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ થયેલા હિંસક પ્રદર્શનમાં અનેક દુકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્રણ નાગરિકોની હત્યા થઈ હતી અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ હિંસાને કારણે ૫૦૦ થી વધુ પરિવારોને મુર્શિદાબાદ છોડવાની ફરજ પડી હતી. આવેદનપત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે રાજ્ય સરકાર હિંસા રોકવામાં નિષ્ક્રિય છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી પીડિત પરિવારોને મદદ કરવાને બદલે હિંસા ભડકાવનારા તત્વો સાથે બેઠકો કરી રહ્યા છે. વિશ્વ હિંદુ પરિષદે માંગ કરી છે કે કેન્દ્ર સરકારે તાત્કાલિક દખલ કરવી જોઈએ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ હિંસા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર