ખેતરમાં રહેતા ખેડૂતો દોડી આવતા શિકારીઓ કાર છોડી ફરાર થયા
પાટણ જિલ્લાના સમી તાલુકાના માંડવી ગામમાં કેનાલ નજીક સીમ વિસ્તારમાં મધરાતે ત્રણ રોઝ શિકાર કરવામાં આવ્યો છે. બે બ્લેક કલરની સેન્ટ્રો કારમાં આવેલા શિકારીઓ બંદૂકથી શિકાર કરી ગાડીઓ છોડી ફરાર થઈ ગયા હતા.આ ઘટના મધરાતે બની હતી, જ્યારે શિકારીઓએ બંદૂક વડે રોઝને નિશાન બનાવી હતી. ફાયરિંગનો અવાજ સાંભળીને સ્થાનિક ખેડૂતો અને રહીશો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને તાત્કાલિક 112 પર પોલીસઅને વન વિભાગ ને જાણ કરી હતી.પોલીસ અને વન વિભાગ ની ટીમેની ગાડી ઘટના સ્થળે પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી.વન વિભાગની તપાસ દરમિયાન એક રોઝનું માસ કટીંગ કરીને ગાડીમાં ભરેલું મળી આવ્યું હતું, જ્યારે અન્ય બે રોઝના મૃતદેહ પણ સ્થળ પરથી મળી આવ્યા હતા. વન વિભાગ દ્વારા નીલગાયોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે 1962ની ટીમને જાણ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ ઘટના અંગે વન વિભાગના અધિકારી ડી એસ સિંધવે જણાવ્યું હતું કે, "અમે જ્યારે સવારે વહેલા આવ્યા ત્યારે અમને અહીંયા એક જાગૃત નાગરિક તરીકે એક માણસનો કોલ કરવામાં આવ્યો હતો વન વિભાગ દ્વારા, જે દરમિયાન અમારા સામાજિક વનીકરણના સ્ટાફના માણસો એ એમની સાથે રહી અને નોર્મલ અને વિસ્તરણ બંને સાથે રહી અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા. ત્યારબાદ તેના બે મૃતદેહ અને કંકાલ મળી આવ્યા હતા જે અમે કબજે લીધા છે અને એક સેન્ટ્રો ગાડી છે જે પણ અમે આજે કબજે લીધેલી છે અને એ દરમિયાન અમે આગળની ક ધોરણોસર આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. પાટણ જિલ્લાના સમી પંથકમાં શિકારીઓ દ્વારા રાત્રિના સમયે રોજના શિકાર મામલે પંથકના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે વન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા આવા શિકારીઓ સામે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી હાથ ઘરે એવી માંગ પ્રબળ બનવા પામી છે.





