ડીસા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મૃતકોના મૃતદેહને માદરે વતન પહોંચાડવાનું શરૂ કરાયું છે. જેમાં એમપીના મંત્રી નગરસિંહ ચૌહાણ અને ઉચ્ચ અધિકારીઓ ડીસા પહોચ્યા હતા. જ્યાં તેમની હાજરીમાં આ મૃતદેહોની ઓળખ કરાઈ હતી અને દેવાસ જિલ્લાના 10 લોકોના મૃતદેહ માદરે વતન લઇ જવા રવાના કરાયા હતા. જોકે હરદા જિલ્લાના 8 લોકોના મૃતદેહ ત્યાંનું સ્થાનિક તંત્ર પહોચે પછી રવાના કરવાની પ્રક્રિયા હાથ ધરાશે તેની વચ્ચે એમપીના મૃતકોના પરિવારજનો ડીસા સિવિલ પહોંચયા હતા. અને તેમને રોકકળ કરીને આક્ષેપ લગાવ્યા હતા. કે અમે ડીસા પહોંચીએ તે પહેલાં જ અમારા અડધા મૃતકોની ડેડ બોડી અહીંથી રવાના કરી દીધી છે. તંત્રે અમારી રાહ પણ ન જોઈ અમારા પરિવારના 7 લોકો મોતને ભેટ્યા છે. તેવો અહીં મજૂરી કરવા આવ્યા હતા,પરિવારના લોકોએ હંગામો કરતા પોલીસે તેમને સમજાવીને શાંત કરીને સીવીલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
બનાસકાંઠા2 એપ્રિલ, 2025
પરિવાર પહોંચે તે પહેલા સ્વજનની ડેડબોડી રવાના કરવામાં આવી

ટેગ્સ:#Madhya Pradesh#Civil Hospital#Emergency Response#Local Administration#crisis management#Police Intervention#Family Allegations#Government Officials#Deesa Fire Incident#Harda District#Victims' Identification#MP Minister Nagarsinh Chauhan#Laborers' Tragedy#Body Repatriation#Community Grief
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
3 કલાક પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
1 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
