રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
બનાસકાંઠા13 નવેમ્બર, 2024| Super Admin

કુંભલમેર ગામે તળાવમાંથી ગુમ યુવકની લાશ મળી આવતાં ચકચાર

કુંભલમેર ગામે તળાવમાંથી ગુમ યુવકની લાશ મળી આવતાં ચકચાર
ગ્રામજનોની મદદથી લાશને બહાર કાઢી પીએમ અર્થે મોકલી અપાઇ યુવક બે દિવસ અગાઉ બાઇક લઈ નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો પાલનપુર તાલુકાના કુંભલમેર ગામે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો એક યુવક બે દિવસ અગાઉ બાઇક લઈને નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતાં તેની ભારે શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં આ યુવકની કોઈ ભાળ મળી ન હતી અને ત્રીજા દિવસે ગામના તળાવમાંથી તેની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પાલનપુર તાલુકાના ગણેશપુરા ગામના વતની અને હાલ કુંભલમેર ગામે પોતાના પરિવાર સાથે રહી મજૂરી કામ કરતો 32 વર્ષીય પ્રકાશજી અમરતજી ઠાકોર ગત તા.9 નવેમ્બરના બપોરના સમયે પોતાના ઘરે કોઈને કહ્યા વિના બાઈક લઈને ક્યાંક નીકળી ગયો હતો. જોકે મોડી રાત્રી સુધી આ યુવક ઘરે પરત ન ફરતા તેના પરિવાર દ્વારા તેની સગા વહાલા તેમજ સબંધીઓમા શોધખોળ કરવામાં આવી. તેમ છતાં આ ગુમ યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો જોકે મંગળવારે ગામના તળાવમાં એક યુવકની લાશ જોવા મળતા ગામલોકો દોડી આવ્યા હતા અને મૃતકની ઓળખ કરતા તે બે દિવસ અગાઉ ગુમ થયેલ ગામનો પ્રકાશજી ઠાકોર હોવાનું માલુમ પડતાં મૃતકના પરિવારજનો દોડી આવ્યા હતા અને લાશનું પીએમ કરાવી મૃતકની અંતિમક્રિયા કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર