હાલમાં ચોમાસાના વરસાદને પગલે બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોતરા ગામની આસપાસ આવેલી અરવલ્લીની ગિરિમાળા સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદ બાદ અરવલ્લીના ડુંગરો પર ચાદરની જેમ હરિયાળી છવાઈ ગઈ છે. વરસાદનુ એક ઝાપટું પડ્યા બાદ જલોતરા ગામેથી દેખાતા ગુરુ પર્વતનો નઝારો અત્યંત રમણીય બન્યો હતો. ગુરુ શિખરને વાદળોએ ઘેરો ઘાલ્યો હોય અને ખેતરોમાં લીલીછમ મોલ લહેરાતો હોય તેવું વિહંગમ દ્રશ્ય સર્જાયું હતું. જલોતરા ગામેથી દેખાતો અરવલ્લી ગિરિમાળાનો ગુરુ પર્વત, જ્યાં વાદળો અને હરિયાળીનું અદભુત સંગમ સર્જાયું.
અરવલ્લીની ગિરિમાળામાં પ્રકૃતિનો સોહામણો નઝારો: જલોતરા ગામેથી ગુરુ પર્વતનું મનમોહક દૃશ્ય

ટેગ્સ:#Aravalli Hills
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા નગરપાલિકાનું 'ખાડા રાજ': ખાડા પૂરવા ગયેલું ડમ્પર જ ભૂવામાં ગરકાવ, જેસીબીની મદદથી ભારે જહેમતે બહાર કઢાયું
1 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં કોન્ટ્રાક્ટરની લાપરવાહી: વીરેન પાર્કથી માર્કેટયાર્ડ રોડ પર આડેધડ ખોદકામથી વાહનચાલકો ત્રસ્ત
1 કલાક પહેલા
બનાસકાંઠાજલોતરામાં મેઘરાજાની બેટિંગ: દોઢ ઇંચ વરસાદથી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
1 કલાક પહેલા
બનાસકાંઠાદાંતા નજીક ગમખ્વાર અકસ્માત: બાઇક અને સ્વિફ્ટ કાર વચ્ચે ટક્કર, યુવક-યુવતીના ઘટનાસ્થળે મોત
2 દિવસ પહેલા
