રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
બનાસકાંઠા17 જૂન, 2025| Super Admin

થરાદના પાવડાસણ પંચાયતના ઉમેદવારે ગાયોને લીલો ઘાસચારો ખવડાવી અનોખી સેવા કરી

થરાદના પાવડાસણ પંચાયતના ઉમેદવારે ગાયોને લીલો ઘાસચારો ખવડાવી અનોખી સેવા કરી
થરાદ તાલુકાના પાવડાસણ ગામના ખૂબજ ગોપ્રેમી એવા વસંતભાઈ દેસાઈ જેવો થરાદ તાલુકાના અલગ-અલગ ગામડાઓમાં નિરાધાર ફરતા ગૌવંશ માટે અલગ અલગ ગામડે ગામડે ફરીને લીલો ઘાસચારો ખવડાવી ગૌમાતાની સેવાનું એક અનોખું કાર્ય કરે છે. પાવડાસણ ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર કાળુભાઈ કુંપાજી રબારી તરફથી પાવડાસણ, જડીયાલી, ઘાંણા, નાંદલા, અને ભાદરા આ પાંચ ગામની નિરાધાર ફરથી 500/600 જેવી ગૌમાતાઓને લીલો ઘાસચારો આપીને ગૌસેવાનું એક અનોખું કાર્ય કર્યું હતુ. અત્યારે થરાદ તાલુકાના સૌપ્રથમ આ એક એવા ઉમેદવાર છે જેમને પોતાના ગામની ગાયોની સાથે અલગ અલગ ગામડે નિરાધાર ફરતી ગાયો માટે એક ગાડી લીલો ઘાસચારો આપીને દરેક ગામોના ઉમેદવારોને એક અનોખો ગૌસેવા કરવા માટેનો સંદેશો આપ્યો હતો.. આ સેવાકીય કાર્યોમાં જીવણભાઈ, શામળાભાઈ, મુકેશભાઈ, વેલાભાઈ, મેઘાભાઈ, જીવાભાઈ, જોરાભાઈ, ભોળાભાઈ અને અન્ય બે યુવા મિત્રોએ લીલીચારની ગાડી ખાલી કરાવવામાં સાથ સહકાર આપ્યો હતો. વધુમાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, દરેક ગામડે ગામડે પોત પોતાની ઈચ્છા અનુસાર એક એક ગૌમાતાની સેવા માટે દરેક લોકો આગળ આવે અને ગૌસેવા તરફ વળે અને દરેક ગામડે ગામડે ગૌમાતાઓની સેવા થાય એ માટે દરેક ગામના ગૌભક્તો અને આ જીવદયા પ્રેમીઓને વિનંતી પણ કરી હતી.

સંબંધિત સમાચાર