બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે વિવિધ વિભાગોના પડતર પ્રશ્નો અને પ્રજાલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સમયસર પહોંચે તે માટે કલેક્ટરે તમામ શાખાના અધિકારીઓને લોકપ્રશ્નો અને ફરિયાદોનો ગુણવત્તાસભર તથા ત્વરિત નિકાલ લાવવા કડક સૂચનાઓ આપી હતી.
લોકપ્રશ્નોના ઉકેલ માટે એક્શન મોડમાં તંત્ર: બનાસકાંઠા કલેક્ટરે સંકલન બેઠકમાં આપ્યા કડક નિર્દેશ





