બનાસકાંઠાના થરાદ નજીક પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ ફરી એકવાર આત્મહત્યાના પ્રયાસને લીધે ચર્ચામાં આવી છે, જ્યાં એક અજાણ્યા યુવાને અગમ્ય કારણોસર કેનાલના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. કેનાલ કિનારેથી યુવાનનું બાઇક અને કિંમતી સામાન મળી આવતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને પગલે થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અને કેનાલના ઊંડા પાણીમાં યુવાનને શોધવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. યુવાને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
થરાદ નર્મદા કેનાલમાં આત્મહત્યાની શંકા: યુવાને ઝંપલાવતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ

સંબંધિત સમાચાર
વાવ-થરાદભાભરમાં શ્રેયસ સોસાયટીમાં ગેટ લગાવવા સામે રહીશોનો હોબાળો, પાલિકાને આવેદનપત્ર સોંપ્યું
1 દિવસ પહેલા
વાવ-થરાદથરા પાલિકામાં આખલા રાજ: શાળાના બાળકો જોખમમાં, તંત્ર ઘોર નિદ્રામાં
6 દિવસ પહેલા
વાવ-થરાદભાભર-દિયોદર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત
6 દિવસ પહેલા
વાવ-થરાદથરાદ મુખ્ય નર્મદા કેનાલમાંથી બે યુવકોના મૃતદેહ મળ્યા, આપઘાતનું કારણ અકબંધ
6 દિવસ પહેલા
