બનાસકાંઠાના થરાદ નજીક પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ ફરી એકવાર આત્મહત્યાના પ્રયાસને લીધે ચર્ચામાં આવી છે, જ્યાં એક અજાણ્યા યુવાને અગમ્ય કારણોસર કેનાલના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. કેનાલ કિનારેથી યુવાનનું બાઇક અને કિંમતી સામાન મળી આવતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને પગલે થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અને કેનાલના ઊંડા પાણીમાં યુવાનને શોધવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. યુવાને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
થરાદ નર્મદા કેનાલમાં આત્મહત્યાની શંકા: યુવાને ઝંપલાવતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ

સંબંધિત સમાચાર
વાવ-થરાદભાભર રેલવે સ્ટેશન પર ભુજ-દિલ્હી એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ અને લંબાવવાની માંગ
17 કલાક પહેલા
વાવ-થરાદસુઇગામના નડાબેટ ખાતે વીર જવાનો સાથે મંત્રીએ રક્ષાબંધનની ઉજવણી કરી
3 દિવસ પહેલા
વાવ-થરાદભાભરને શુદ્ધ પીવાના પાણીની ભેટ: મિનરલ વોટર પ્લાન્ટનું લોકાર્પણ
3 દિવસ પહેલા
વાવ-થરાદધરણીધર ઢીમા મંદિરમાં થયેલ સોનાની ચેઇન ચોરીનો ભેદ ઉકેલતી વાવ પોલીસ
5 દિવસ પહેલા
