બનાસકાંઠાના થરાદ નજીક પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ ફરી એકવાર આત્મહત્યાના પ્રયાસને લીધે ચર્ચામાં આવી છે, જ્યાં એક અજાણ્યા યુવાને અગમ્ય કારણોસર કેનાલના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. કેનાલ કિનારેથી યુવાનનું બાઇક અને કિંમતી સામાન મળી આવતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને પગલે થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અને કેનાલના ઊંડા પાણીમાં યુવાનને શોધવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. યુવાને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
થરાદ નર્મદા કેનાલમાં આત્મહત્યાની શંકા: યુવાને ઝંપલાવતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ

સંબંધિત સમાચાર
વાવ-થરાદન્યાયમંદિરમાં આરોગ્ય સેવા: ભાભર કોર્ટમાં ઇમરજન્સી મેડિકલ સેન્ટરનું ઉદ્ઘાટન
6 કલાક પહેલા
વાવ-થરાદટીબી નાબૂદી વેગવંતી: ભાભર તાલુકામાં સ્પેશિયલ ચેસ્ટ X-ray કેમ્પનું આયોજન
6 કલાક પહેલા
વાવ-થરાદભારતમાલા રોડ પરથી ડ્રગ્સ ઝડપાયું: થરાદ પોલીસે 51 ગ્રામ MD ડ્રગ્સ સાથે કાર જપ્ત કરી
1 દિવસ પહેલા
વાવ-થરાદથરા પોલીસે નાથપુરા ગામની સીમમાં દરોડો પાડી ત્રણ જુગારી ઝડપ્યા
3 દિવસ પહેલા
