બનાસકાંઠાના થરાદ નજીક પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ ફરી એકવાર આત્મહત્યાના પ્રયાસને લીધે ચર્ચામાં આવી છે, જ્યાં એક અજાણ્યા યુવાને અગમ્ય કારણોસર કેનાલના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. કેનાલ કિનારેથી યુવાનનું બાઇક અને કિંમતી સામાન મળી આવતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને પગલે થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અને કેનાલના ઊંડા પાણીમાં યુવાનને શોધવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. યુવાને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
થરાદ નર્મદા કેનાલમાં આત્મહત્યાની શંકા: યુવાને ઝંપલાવતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ

સંબંધિત સમાચાર
વાવ-થરાદભાભર તાલુકાના તનવાડ ગામે વાવાઝોડામાં મૃત્યુ પામેલ મહિલાના પરિવારને રૂ. 4 લાખની સહાય
3 દિવસ પહેલા
વાવ-થરાદમાવસરી દારૂ પ્રકરણ : PI લીવ રિઝર્વમાં અને હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, એસપીની કડક કાર્યવાહી
4 દિવસ પહેલા
વાવ-થરાદભાભર મુકામે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા સેવાભાવિ સંસ્થાઓનું સન્માન
4 દિવસ પહેલા
વાવ-થરાદવાવ શહેરમાં ભાજપ કાર્યકરો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
4 દિવસ પહેલા
