રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા11 જૂન, 2026| Super Admin

લાખણીથી મડાલ ગામે નાઈટ બસ શરૂ કરવાની પ્રબળ લોકમાંગ

લાખણીથી મડાલ ગામે નાઈટ બસ શરૂ કરવાની પ્રબળ લોકમાંગ

આઝાદીના વર્ષો બાદ પણ બસ સુવિધાથી ગામ વંચિત, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે હાલાકી

લાખણી તાલુકાનું અંતિમ ગામ ગણાતું મડાલ આજે પણ જાહેર પરિવહનની સુવિધાથી વંચિત હોવાનું જાણવા છે. આઝાદીના વર્ષો વીતી ગયા છતાં મડાલ ગામ સુધી હાલમાં એક પણ નિયમિત બસ સેવા ઉપલબ્ધ નથી, જેના કારણે ગામના લોકો તેમજ વિદ્યાર્થીઓને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લાખણી આવવા-જવા માટે લોકોને ખાનગી વાહનો અથવા અન્ય મર્યાદિત વિકલ્પો પર નિર્ભર રહેવું પડે છે. ખાસ કરીને તાલુકા મથક લાખણી ખાતે શાળા અને કોલેજમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને નિયમિત બસ સેવા ન હોવાને કારણે સમય, ખર્ચ અને સુરક્ષાની દ્રષ્ટિએ મુશ્કેલી અનુભવવી પડે છે.મડાલ ગામના સરપંચ દ્વારા આ બાબતે અનેક વખત સંબંધિત ડેપો મેનેજર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી ગામને બસ સેવાનો લાભ મળ્યો નથી. તેવો બળાપો ગામલોકોએ ઠાલવ્યો હતો.

ગામ લોકો અને વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે લાખણીથી વાયા જસરા–લાલપુર થઈ મડાલ સુધી નાઈટ બસ સેવા શરૂ કરવામાં આવે જેથી ગામના લોકો, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને વેપારીઓને સરળ અને નિયમિત પરિવહનની સુવિધા મળી રહે.ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના આ યુગમાં તાલુકાના અંતિમ ગામ સુધી જાહેર પરિવહનની સુવિધા પહોંચે તે સમયની જરૂરિયાત છે ત્યારે સંબંધિત તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.

ટેગ્સ:#Lakhani

સંબંધિત સમાચાર