ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લોકોની માંગણીને ધ્યાને લઇને પાલનપુર એસટી વિભાગીય નિયામકને સુચનાઓ આપી તાત્કાલિક ધોરણ થી સિધ્ધપુર થી વામૈયા- ડીસાની એસટી બસ ખિમત સુધી લંબાવી ચાલુ કરવામાં આવતાં આ રૂટ પરના મુસાફરોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે. પાલનપુર એસટી વિભાગના સિધ્ધપુર ડેપો સંચાલિત સિધ્ધપુર થી વામૈયા ડીસાની એસટી બસ સિધ્ધપુર, દેથલી, ચાદેસર, હીસોર, વામૈયા કોટાવડ પાટીયા, ગુલવાસણા,અધાર,કિમ્બુવા પાટીયા,વડું,વાગડોદ, વદાણી,જંગરાલ, ભાટસણ, કોઈટા, ડીસા, વાયા કંસારી, બાઈવાડા, વિઠોદર, બુરાલ,ખીમત બસ ચાલુ કરવામાં આવી છે. આ રૂટની એસટી બસ ચાલુ થાય તે માટે વામૈયા ગામના વતની અને ગુજરાત રાજ્ય સમસ્યા મંચ (સુચિત) ના સંયોજક શૈલેષ નાયી દ્વારા વારંવાર વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંધવી ને તેમજ પાલનપુર એસટી વિભાગીય નિયા-મક,ડીટીઓ સહિત સિધ્ધપુર એસટી ડેપો મેનેજર ને રજૂઆત કરવામાં આવી હતી જેનાં પરિણામે આ રૂટની એસટી બસ ચાલુ કરાતાં આ રૂટના મુસાફરો એ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.
સિદ્ધપુર થી વામૈયા-ડીસાની સવારની એસટી બસ ને ખિમત સુધી લંબાવી ચાલુ કરવામાં આવી

ટેગ્સ:#Local Governance#Public Transport#Community Demand#Gujarat State Road Transport Corporation#Siddhpur to Khimat Bus Extension#Vamaiya-Deesa Route#Transportation Services#Passenger Gratitude#Transport Minister Harsh Sandhvi#Palanpur ST Division#ST Depot Operations#Route Improvement#Regional Connectivity#Public Service Announcement
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
1 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
1 દિવસ પહેલા
પાટણરાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં
1 દિવસ પહેલા
પાટણદેવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં ૧૦૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં
3 દિવસ પહેલા
