રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા16 મે, 2026| Super Admin

અછત છે કે અફવા? દિયોદર-કાંકરેજમાં ઇંધણ માટે ૩-૩ કલાક લાંબી લાઈનો

અછત છે કે અફવા? દિયોદર-કાંકરેજમાં ઇંધણ માટે ૩-૩ કલાક લાંબી લાઈનો

વાવ, થરાદ, ધરણીધર અને દિયોદર સહિતના સરહદી વિસ્તારોમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી જ પંપો પર વાહનો અને કેરબાઓ લઈને ઉભેલા ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. હાલ મગફળીના વાવેતર માટે ખેતરો તૈયાર કરવાની સિઝન ચાલી રહી છે, પરંતુ મોટાભાગના પંપો પર માત્ર ૧૦ લિટર ડીઝલ આપવાની મર્યાદા નક્કી કરાતા ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂત માધાભાઈ પટેલ અને કાંકરેજના મોધાજીનું કહેવું છે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી પુરવઠો ખોરવાયો છે. ૩-૩ કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી પણ પૂરતું ડીઝલ ન મળતા ટ્રેક્ટરો થંભી ગયા છે અને વાવેતર મોડું થવાની ભીતિ છે.

પંપ માલિકોનું શું કહેવું છે?
બીજી તરફ, આ અછત પાછળનું એક મોટું કારણ 'પેનિક બાઈંગ' એટલે કે ભયના માર્યા વધુ ખરીદી કરવાનું પણ સામે આવ્યું છે. પેટ્રોલ પંપ માલિક વર્ધાજી રાજપૂતના જણાવ્યા અનુસાર, સરકાર તરફથી નિયમિત જથ્થો મળી જ રહ્યો છે, પરંતુ લોકો અફવાઓ અથવા ભયના કારણે એકસાથે મોટી માત્રામાં ખરીદી કરવા ઉમટી પડ્યા છે, જેના કારણે અચાનક શોર્ટેજ ઉભી થઈ ગઈ છે. હવે સ્થિતિ એ છે કે ભાવવધારો અને અછત બંનેના કારણે જગતનો તાત બેવડા મારમાં પીસાઈ રહ્યો છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ પુરવઠો સામાન્ય કરવામાં આવે. શું તમારા વિસ્તારમાં પણ પેટ્રોલ-ડીઝલની આવી જ લાઈનો છે? કોમેન્ટમાં જરૂર જણાવો.

સંબંધિત સમાચાર