સંબંધિત સાંસદો સામે FIR સહિત સભ્યપદ રદ કરવાની માંગ
સંસદમાં સાધુ-સંતો, ભગવાન અને સનાતન સંસ્કૃતિ અંગે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓને લઈને બનાસકાંઠાના સંત સમાજ અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે પાલનપુરમાં સંત સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા વિરોધ નોંધાવી નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જવાબદાર સાંસદો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિજય હનુમાન સંન્યાસ આશ્રમના મહા મંડલેશ્વર સ્વામી રામેશ્વરા નંદગિરિજી, મોટા રામજી મંદિરના મહંત રાઘવદાસજી, વી.એચ.પી.ના પ્રમુખ દિલસુખ ભાઈ અગ્રવાલ, વિજયભાઈ મંડોરા, ગજાનંદ ભાઈ જોશી, હિરેનભાઈ શાસ્ત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.





