રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
સાબરકાંઠા26 મે, 2025| Super Admin

સાબરકાંઠા; વાવાઝોડાએ વિનાશ વેર્યો, ઉનાળુ પાક જમીનદોસ્ત, ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી

સાબરકાંઠા; વાવાઝોડાએ વિનાશ વેર્યો, ઉનાળુ પાક જમીનદોસ્ત, ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી
વિજયનગરના સરસો ગામે વીજળી પડતા બે ભેસના મોત; સાબરકાંઠામાં ગઈકાલે રાત્રે આવેલા ભારે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. ભારે પવન સાથે વાવાઝોડાથી ખેડૂતોના પાકને નુકસાન તો બીજી તરફ કાચા મકાનો પણ જમીનદોસ્ત થયાં હતા. સાબરકાંઠામાં સખત પવન અને વરસાદથી હોડીગ સહિતના વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાતા લોકો રોડ પર રહેવા મજબૂર થયા હતા. સાબરકાંઠામાં ગઈકાલે રાત્રે આવેલા ભારે વાવાઝોડાંએ ખેતીને તબાહ કરી દીધી હોય એવા દ્રશ્યો સર્જાયા છે. તૈયાર ઉનાળુ બાજરીના પાકને ભારે નુકસાનની ભીતિ પણ જોવા મળી રહી છે. હિંમતનગર, વડાલી, ઇડર, વિજયનગર અને ખેડબ્રહ્મા વિસ્તારમાં ખેતરોમાં ખેતપાક જમીનદોસ્ત થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભારે પવન અને વરસાદે પાકને સંપૂર્ણ રીતે પટક્યો છે. ઉનાળુ બાજરીનો પાક જમીનદોસ્ત થવાથી ખેડૂતો ચિંતિત થયા છે. સખત પવન અને વરસાદથી સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ઝાડ પડવાથી રસ્તા અવરોધિત, વાહનવ્યવહાર ઠપ્ થયો છે. હિંમતનગરના તખતગઢ ખાતે ઝાડ પડતાં ત્રણ વાહનો દટાયા હતા. તેથી સ્થાનિક લોકોએ બચાવ અને વાહન બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. કેટલાક કાચાં મકાન ધરાશાયી તો કેટલાક મકાનના પતરા પણ ઉડી ગયા હતા. વાવાઝોડાના પગલે લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા હતા.  સખત પવન અને વરસાદથી હોડીગ સહિતના વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડાથી ભારે તારાજી સર્જાતા લોકો હચમચી ગયા હતા. સાબરકાંઠાના સરસો ગામે વાવાઝોડા વચ્ચે વીજળી પડતા બે દૂધાળાં ભેસના મોત થયા હતા.

સંબંધિત સમાચાર