રાહ તાલુકાના ડેડુવા ગામમાં બનેલા પ્રેમ પ્રકરણ સંબંધિત યુવક પર હુમલા મામલે પોલીસે તપાસને વધુ તેજ બનાવી આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન ગામમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર ઘટના અંગે ભારે ઉત્સુકતા જોવા મળી હતી.
રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી ઘટનાક્રમની વિગતવાર માહિતી મેળવી હતી. ખાસ કરીને થરાદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સી.પી. ચૌધરી દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં આરોપીઓ પાસેથી ઘટનાની સંપૂર્ણ હકીકત બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સ્થળ પર રિકન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી હતી ત્યારે મોટી સંખ્યામાં ગામજનોના ટોળેટોળા એકત્ર થયા હતા, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસની સખત કામગીરી સામે આવી હતી અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.





