મહંત બળદેવનાથ ગુરુશ્રી વસંતનાથ દેવ દરબારની જગ્યા તા. કાંકરેજ સમગ્ર કરી સમગ્ર ગોસ્વામી સમાજની લાગણી દુભાવેલ હતી:કાંકરેજ તાલુકાના ગંગાપુર ગામે થળી મઠ મુકામે પ.પૂ. મહંતશ્રી ૧૦૦૮શ્રી જગદીશપુરીજી બાપુ તા. ૧૯-૧૧-૨૪ ના રોજ બ્રહ્મલીન (દેવલોક) થતા તા. ૨૨-૧૧-૨૦૨૪ ના રોજ થળી મઠ મુકામે સમગ્ર સેવકો, ભક્તગણ તેમજ સંતો, મહંતોની તેમજ હજારો ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતી તરીકે મહંતશ્રી કાર્તિકપુરીજી બાપુની ચાદરવિધિ કરેલ હતી કોઈપણ સંત, મહંતશ્રી દેવલોક પામે તો તેમના સેવકગણ, સંતો, ગ્રામજનોની હાજરીમાં પાલખીયાત્રામાં કાઢવામાં આવે છે. પરંતુ અહીં માત્ર ગણ્યા ગાંઠયા લોકો દેવ દરબારની જગ્યાના મહંત બળદેવનાથ ગુરુશ્રી વસંતનાથ તા. કાંકરેજ સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ વિરૂધ્ધ અશોભનીય અને અભદ્ર બેફામ વાણી વિલાસ કરી આ ગોસ્વામી સમાજ શું કરી લેશે તેવું સમગ્ર સમાજને જણાવેલ છે.






