આવાસ યોજનાના પ્રથમ હપ્તામાંથી લાંચ માંગી હતી : એસીબીએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી પાડ્યો
સાબરકાંઠાના ઇડર તાલુકામાં દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના પ્રથમ હપ્તામાંથી રૂ.15 હજારની લાંચ માંગનાર મનરેગા વિભાગના મસ્ટર કારકુન રમેશચંદ્ર મણીલાલ પંડયા એસીબીના છટકામાં ઝડપાયા હતા.
ફરિયાદીના પત્નીના નામે આવાસ યોજના હેઠળ મકાન સહાય મંજૂર થઈ હતી અને પ્રથમ હપ્તાના રૂ.30 હજાર બેંક ખાતામાં જમા થયા હતા. આરોપીએ આ રકમમાંથી રૂ.15 હજાર લાંચ પેટે માંગ્યા હતા. તેમજ મનરેગા યોજનામાં કંઈક ઓછું કરી આપવાની વાત કરી હતી. લાંચ આપવા ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતાં તા.7 ઓગસ્ટના રોજ દેશોતર ચાર રસ્તા પાસેના પાર્લરમાં છટકું ગોઠવાયું હતું. આરોપીએ રૂ.15 હજાર સ્વીકારતાં એસીબીએ તેને રંગેહાથ ઝડપી પાડી લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી હતી.ટ્રેપની કાર્યવાહી સાબરકાંઠા એસીબીના પીઆઈ એ.ડી. સુથારની આગેવાનીમાં કરવામાં આવી હતી.





