બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની તીવ્રતા જોઈને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટરની રાહ જોયા વિના જીવના જોખમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક સ્તરે ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે આગને સમયસર કાબૂમાં ન લઈ શકાઈ, જેના લીધે ગોડાઉનમાં રાખેલો લાખો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર સામે ફાયર સુવિધાના અભાવ મુદ્દે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ઈકબાલગઢ: ભંગારના ગોડાઉનમાં આગ, ફાયર સુવિધા ન મળતા ભારે નુકસાન

ટેગ્સ:#Iqbalgarh
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુરમાં SBI કર્મચારીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન: પડતર માગણીઓને લઈને બેંક કર્મીઓ હડતાલ પર
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરીમાં એસઓજીના સપાટા: રૂ. ૨.૪૪ લાખની બનાવટી નોટો સાથે બે શખ્સો ઝડપાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના વડાવળ પાસે સામાન્ય બાબતે બઘડાટી: ગાયો સાઈડમાં લેવા મુદ્દે થયેલા હુમલામાં ૪ ઈજાગ્રસ્ત
2 દિવસ પહેલા
બનાસકાંઠામાતા યશોદા એવોર્ડ: આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોનું વિશેષ સન્માન
2 દિવસ પહેલા
