પિતાને બે પુત્રો સહિત ત્રણ આરોપીઓને મારામારીના કેસમાં સજા ફટકારી
વાવ તાલુકાના ટડાવ ગામના ફરિયાદી શિતાબેન મસાભાઈ પરમારે ગામના જ ત્રણ લોકો પેકી ગગદાસ પીરા પરમાર દિનેશ ગગદાસ પરમાર અશોક ગગદાસ પરમાર વિરુદ્ધ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીના મુદ્દે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ફરિયાદી પક્ષે વાવના વિદ્વાન ધારાશાસ્ત્રી એવા બી.ટી.રાઠોડ અને સરકારી વકીલ આર.એમ.ગામીત સાહેબની ધારદાર દલીલોને વાવની જયું.કોર્ટના મેજી. એલ.આઇ.વધવા સાહેબે માન્ય રાખી ફરિયાદી પક્ષને ન્યાય આપી આરોપી પક્ષના ત્રણે પિતા પુત્રો સહિત ને 1 વર્ષ ની સાદી કેદની સજા તેમજ ફરિયાદી પક્ષને વળતર પેટે કુલ રૂ.15000 વળતર આપવાનો હુકમ કરેલ છે. જો વળતરની રકમ 30 દિવસ સુધી કોર્ટમાં જમા નહિ કરાવે તો વધુ 6 માસની સજાનો હુકમ કરેલ છે.





