હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર કાંકરોલ નજીક સ્વામીનારાયણ મંદિર સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા જીપડાલાએ બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરના રામપુર (ગાંભોઈ)ના રહેવાસી પતિ પત્ની બાઈક પર હિંમતનગર આવી રહ્યા હતા. તે દરમિયાન જીપડાલા ચાલકે પૂરઝડપે વાહન હંકારીને બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે બાઈક ઘસડાયું અને દંપતી રોડ પર પટકાયા હતા. જીપડાલું બાઈક પર ચઢી ગયું હતું. મહિલાને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બાઈક ચાલકને પણ ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જીપડાલાને કબજામાં લઈને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું છે. હાલ પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાબરકાંઠા17 એપ્રિલ, 2025
ગમખ્વાર અકસ્માત; જીપડાલાએ બાઈકને ટક્કર મારતાં એક નું મોત

ટેગ્સ:#legal proceedings#Emergency Response#Traffic Incident#Road Safety#Public Safety Concerns#Victim Identification#Injury Report#Fatal Accident#Gamkhwar Accident#Jeep vs. Bike Collision#Himmatnagar-Shamlaji National Highway#Local Police Investigation#Accident Scene Details#Motorcycle Safety
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠાના અંતરિયાળ ગામોમાં રક્તદાનની સરવાણી : ૩૧ યુનિટ રક્ત એકત્ર કર્યું
11 મિનિટ પહેલા
સાબરકાંઠાતંત્ર સજ્જ : પ્રાંતિજ હાઈવે પર મોકડ્રિલ યોજાઈ, અકસ્માત સમયે બચાવ કામગીરીનું જીવંત નિદર્શન કરાયું
18 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં પેન્શનરોનો હલ્લાબોલ : વેલિડેશન એક્ટ 2025 ના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં પેન્શનરોનો હલ્લાબોલ : વેલિડેશન એક્ટ 2025 ના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું
2 દિવસ પહેલા
