રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા19 ફેબ્રુઆરી, 2025| Super Admin

ઇ-કેવાયસી ન કરાવનાર ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ નહીં મળે

ઇ-કેવાયસી ન કરાવનાર ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ નહીં મળે

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આર્થિક સહાય ચૂકવવા આવે છે. જેમાં પાત્રતા ન ધરાવતા ખેડૂતો પણ આ સહાયનો લાભ લેતા હોઇ સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં લાભાર્થી ખેડૂતોના ઇ કેવાયસી ફરજિયાત કર્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 51 ટકા ખેડૂતોએ પોતાના ઇ કેવાયસી કરાવ્યા છે. સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ સાચા લાભાર્થી સુધી પહોંચી શકે અને પાત્રતા ન ધરાવતા લોકો સરકારની યોજનાના ગેરલાભ ન ઉઠાવી જાય તે માટે સરકાર દ્વારા લાભાર્થીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા તેમના ઇ કેવાયસી ફરજિયાત કર્યા છે. જેમાં સરકાર દ્વારા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર ચાર મહિને બે હજાર લેખે વર્ષે છ હજારની સહાય ચૂકવવામાં આવે છે. જેમાં સાચા લાભાર્થીની ઓળખ કરવા માટે ખેડૂતોનું ઇ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમા ગ્રામીણ વિસ્તારોના 2,61,756 ખેડૂતો એટલે કે 51 ટકા ખેડૂતોની ઇ કેવાયસીની કામગીરી થવા પામી છે. જેમાં જિલ્લામા સૌથી વધુ વડગામ તાલુકામાં 58.77 ટકા જ્યારે સૌથી ઓછા અમીરગઢ તાલુકામાં 37.17 ટકા ખેડૂતોના ઇ કેવાયસી થયા છે. જોકે ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ કેન્દ્રો પર તેમજ મોબાઈલ એપ્લિકેશન પર આ કેવાઇસીની કામગીરી કરાઇ રહી છે. જોકે કેટલાક ખેડૂતોના આધાર અને રેશનકાર્ડમાં અલગ અલગ મોબાઈલ હોવાનાં કારણે ઇ કેવાયસી કરવામાં તકલીફ પડી રહી છે. જે ખેડૂતોના ઇ કેવાયસી બાકી છે તેમનો કિસાન સન્માન નિધીની સહાયથી વંચિત રહેવા પામશે.તેમ ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર