કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આર્થિક સહાય ચૂકવવા આવે છે. જેમાં પાત્રતા ન ધરાવતા ખેડૂતો પણ આ સહાયનો લાભ લેતા હોઇ સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં લાભાર્થી ખેડૂતોના ઇ કેવાયસી ફરજિયાત કર્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 51 ટકા ખેડૂતોએ પોતાના ઇ કેવાયસી કરાવ્યા છે. સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ સાચા લાભાર્થી સુધી પહોંચી શકે અને પાત્રતા ન ધરાવતા લોકો સરકારની યોજનાના ગેરલાભ ન ઉઠાવી જાય તે માટે સરકાર દ્વારા લાભાર્થીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા તેમના ઇ કેવાયસી ફરજિયાત કર્યા છે. જેમાં સરકાર દ્વારા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર ચાર મહિને બે હજાર લેખે વર્ષે છ હજારની સહાય ચૂકવવામાં આવે છે. જેમાં સાચા લાભાર્થીની ઓળખ કરવા માટે ખેડૂતોનું ઇ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમા ગ્રામીણ વિસ્તારોના 2,61,756 ખેડૂતો એટલે કે 51 ટકા ખેડૂતોની ઇ કેવાયસીની કામગીરી થવા પામી છે. જેમાં જિલ્લામા સૌથી વધુ વડગામ તાલુકામાં 58.77 ટકા જ્યારે સૌથી ઓછા અમીરગઢ તાલુકામાં 37.17 ટકા ખેડૂતોના ઇ કેવાયસી થયા છે. જોકે ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ કેન્દ્રો પર તેમજ મોબાઈલ એપ્લિકેશન પર આ કેવાઇસીની કામગીરી કરાઇ રહી છે. જોકે કેટલાક ખેડૂતોના આધાર અને રેશનકાર્ડમાં અલગ અલગ મોબાઈલ હોવાનાં કારણે ઇ કેવાયસી કરવામાં તકલીફ પડી રહી છે. જે ખેડૂતોના ઇ કેવાયસી બાકી છે તેમનો કિસાન સન્માન નિધીની સહાયથી વંચિત રહેવા પામશે.તેમ ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
ઇ-કેવાયસી ન કરાવનાર ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ નહીં મળે

ટેગ્સ:#Banaskantha#E-KYC#farmers#Gram Panchayat#benefit#PM Kisan Samman Nidhi#Central Govt#E KYC mandatory#Scheme of Govt#Mobile application#Aadhaar and Ration Card#Department of Agriculture
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના આંગણે ₹21 કરોડનું નવું નજરાણું: વેપાર અને સંસ્કૃતિનું હબ બનશે 'અર્બન હાટ'
3 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતીવાડાના ભીલાચલમાં એટીવીટી ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ
3 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈંસ્પેક્ટર રાજ્યભરમાં શ્રેષ્ઠ કામગીરી
3 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા: ચડોતર બ્રિજ પર RTOની ગાડી ડિવાઈડર સાથે અથડાઈ, 3 કર્મીઓ ઇજાગ્રસ્ત
4 દિવસ પહેલા
