કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આર્થિક સહાય ચૂકવવા આવે છે. જેમાં પાત્રતા ન ધરાવતા ખેડૂતો પણ આ સહાયનો લાભ લેતા હોઇ સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં લાભાર્થી ખેડૂતોના ઇ કેવાયસી ફરજિયાત કર્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 51 ટકા ખેડૂતોએ પોતાના ઇ કેવાયસી કરાવ્યા છે. સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ સાચા લાભાર્થી સુધી પહોંચી શકે અને પાત્રતા ન ધરાવતા લોકો સરકારની યોજનાના ગેરલાભ ન ઉઠાવી જાય તે માટે સરકાર દ્વારા લાભાર્થીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા તેમના ઇ કેવાયસી ફરજિયાત કર્યા છે. જેમાં સરકાર દ્વારા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર ચાર મહિને બે હજાર લેખે વર્ષે છ હજારની સહાય ચૂકવવામાં આવે છે. જેમાં સાચા લાભાર્થીની ઓળખ કરવા માટે ખેડૂતોનું ઇ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમા ગ્રામીણ વિસ્તારોના 2,61,756 ખેડૂતો એટલે કે 51 ટકા ખેડૂતોની ઇ કેવાયસીની કામગીરી થવા પામી છે. જેમાં જિલ્લામા સૌથી વધુ વડગામ તાલુકામાં 58.77 ટકા જ્યારે સૌથી ઓછા અમીરગઢ તાલુકામાં 37.17 ટકા ખેડૂતોના ઇ કેવાયસી થયા છે. જોકે ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ કેન્દ્રો પર તેમજ મોબાઈલ એપ્લિકેશન પર આ કેવાઇસીની કામગીરી કરાઇ રહી છે. જોકે કેટલાક ખેડૂતોના આધાર અને રેશનકાર્ડમાં અલગ અલગ મોબાઈલ હોવાનાં કારણે ઇ કેવાયસી કરવામાં તકલીફ પડી રહી છે. જે ખેડૂતોના ઇ કેવાયસી બાકી છે તેમનો કિસાન સન્માન નિધીની સહાયથી વંચિત રહેવા પામશે.તેમ ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
ઇ-કેવાયસી ન કરાવનાર ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ નહીં મળે

ટેગ્સ:#Banaskantha#E-KYC#farmers#Gram Panchayat#benefit#PM Kisan Samman Nidhi#Central Govt#E KYC mandatory#Scheme of Govt#Mobile application#Aadhaar and Ration Card#Department of Agriculture
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરી પોલીસ એક્શનમાં : આકોલીની પરિણીતા ત્રણ સંતાનો સાથે ગુમ થતાં તપાસ શરૂ
14 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુર સિવિલમાં કમાલ: ગોળા-જલોત્રા નજીક ઘાયલ યુવાનની ફેફસાની સફળ સર્જરી
15 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના ગાયત્રી મંદિર હાઇવે પર બે ગાયોની લડાઈ બની જીવલેણ, એકનું મોત
15 કલાક પહેલા
બનાસકાંઠાવડગામના સકલાણામાં ગોઝારો અકસ્માત: વીજ વાયર પડતાં પિતા-પુત્રનું મોત
15 કલાક પહેલા
