રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
વાવ-થરાદ10 જૂન, 2026| Super Admin

ભાભર તાલુકાના તનવાડ ગામે વાવાઝોડામાં મૃત્યુ પામેલ મહિલાના પરિવારને રૂ. 4 લાખની સહાય

ભાભર તાલુકાના તનવાડ ગામે વાવાઝોડામાં મૃત્યુ પામેલ મહિલાના પરિવારને રૂ. 4 લાખની સહાય

ગત તા. 2-6-2026ના રોજ ભાભર તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં આવેલા વાવાઝોડા અને વરસાદ દરમિયાન ભારે પવન ફૂંકાતા અનેક સ્થળોએ નુકસાન થયું હતું. અનેક મકાનોના પતરા ઉડી ગયા હતા. તેમજ વૃક્ષો ધરાશાયી થયા હતા.આ દરમિયાન ભાભર તાલુકાના તનવાડ ગામે લીમડાનું ઝાડ પડી જતા ઝાડ નીચે રહેલા કાસુબેન શોભાજી વાઘેલાનું દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતે મૃત્યુ થયું હતું. 

આ માનવ મૃત્યુની ઘટનાને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા અંગત રસ દાખવી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમના પ્રયાસોથી સરકારના રાહત ફંડમાંથી મૃતકના પરિવારજનો માટે રૂ. 4 લાખની સહાય માત્ર ચાર દિવસમાં મંજૂર કરવામાં આવી હતી. આ સહાયનો ચેક આજે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે મૃતકના વારસદારોને અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કાપડી, પીરાજી ઠાકોર, ભાભર તાલુકા પંચાયત પ્રમુખ, ભાભર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી સ્વરૂપજી ઠાકોરે પરિવારજનોને સાંત્વના પાઠવી સરકાર તેમની સાથે હોવાનું જણાવી સહાયરૂપ બનવાની ખાતરી વ્યક્ત કરી હતી. આ ઝડપી સહાયથી પરિવારજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી.

ટેગ્સ:#bhabhar

સંબંધિત સમાચાર