હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર આવતીકાલે ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. રેલવે વિભાગ દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ 55 કિલોમીટર લાંબી રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન કાર્ય પૂર્ણ થયા બાદ અગાઉ CRS અને ઇલેક્ટ્રિફિકેશન લોકો ટ્રાયલ પણ કરવામાં આવ્યો હતો. 8 જાન્યુઆરીના રોજ PCEE દ્વારા ઇલેક્ટ્રિફિકેશનનું નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલ કરાયો હતો. બે મહિનાથી વધુ સમય વીતી ગયા બાદ હવે બુધવારે ફરીથી ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ થશે. અમદાવાદથી ઇલેક્ટ્રિક લોકો આવ્યા બાદ સવારે 11 વાગ્યાની આસપાસ હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી આ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. રેલવે વિભાગ દ્વારા આ અંગે સંબંધિત તમામ પક્ષોને જાણ કરવામાં આવી છે.
આવતીકાલે હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ પરીક્ષણ કરાશે

સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરના તલાટીઓનો મિજાજ: ૧૪ કામગીરીઓથી મુક્તિ મુદ્દે બહિષ્કાર કર્યો
2 દિવસ પહેલા
સાબરકાંઠાસ્વચ્છતા અભિયાન: સાબરકાંઠાના કલેક્ટરે ઇલોલ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ આંગણવાડી કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લીધી
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં ૧૫ પશુ એમ્બ્યુલન્સ દ્વારા 'મસ્ટાઇટીસ' રોગ અંગે પશુપાલકોને જાગૃત કરાયા
4 દિવસ પહેલા
