હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર આવતીકાલે ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. રેલવે વિભાગ દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ 55 કિલોમીટર લાંબી રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન કાર્ય પૂર્ણ થયા બાદ અગાઉ CRS અને ઇલેક્ટ્રિફિકેશન લોકો ટ્રાયલ પણ કરવામાં આવ્યો હતો. 8 જાન્યુઆરીના રોજ PCEE દ્વારા ઇલેક્ટ્રિફિકેશનનું નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલ કરાયો હતો. બે મહિનાથી વધુ સમય વીતી ગયા બાદ હવે બુધવારે ફરીથી ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ થશે. અમદાવાદથી ઇલેક્ટ્રિક લોકો આવ્યા બાદ સવારે 11 વાગ્યાની આસપાસ હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી આ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. રેલવે વિભાગ દ્વારા આ અંગે સંબંધિત તમામ પક્ષોને જાણ કરવામાં આવી છે.
આવતીકાલે હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ પરીક્ષણ કરાશે

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠામાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર: ૩ તાલુકામાં ૪ કેસ પોઝિટિવ, ૨ દર્દીના મોત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાના ભોલેશ્વર અને સપ્તેશ્વર મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાન યોજાયું
3 દિવસ પહેલા
સાબરકાંઠાઈડર નાગરિક સહકારી બેંકમાં 'ગુલાબ પેનલ'નો ઐતિહાસિક વિજય: નવા સુકાનીઓની સર્વાનુમતે વરણી
3 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર સોસાયટીમાં વીજ મીટરમાં આગ લાગી; UGVCLની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
6 દિવસ પહેલા
