વર્ષો જૂની પરંપરા જાળવી રાખી; ડીસાના કુંભારવાસમાં રહેતા ચેતનાબેન શૈલેષભાઇ પ્રજાપતિનો પરિવાર વર્ષોથી ચીકણી માટીમાંથી વિવિધ મૂર્તિઓ બનાવવાના કાર્યમાં જોડાયેલો છે. આ પરંપરા આજે પણ ચાલુ છે. ચેતનાબેનનો પરિવાર અત્યારે પણ વિવિધ તહેવારોના પ્રસંગે વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ ચીકણી માટીમાંથી બનાવે છે.
પાટણના વાગડોદ ગામેથી તળાવની ચીકણી માટી લાવી છેલ્લા 50 વર્ષથી ગણપતિ, અંબે માતાજી, રાધા કૃષ્ણ, શંકર ભગવાન તેમજ દશામાની મૂર્તિઓ બનાવે છે. આવનારા જન્માષ્ટમી અને ગણપતિના તહેવારને લઈને તેઓ હાલમાં રાધાકૃષ્ણ અને ગણપતિની મૂર્તિઓ બનાવી રહ્યા છે. થોડા જ દિવસોમાં જન્માષ્ટમી અને ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે, જેથી આ પરિવાર હાલમાં ગણપતિ અને રાધા કૃષ્ણની મૂર્તિ બનાવવામાં વ્યસ્ત છે. એક મૂર્તિ બનાવવામાં 15 મિનિટનો સમય લાગે છે અને તેઓ રોજની 50 મૂર્તિઓ બનાવે છે.બનાસકાંઠા30 જુલાઈ, 2025
ડીસા; 50 વર્ષથી ચીકણી માટીથી દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવી વર્ષો જૂની પરંપરા જાળવી રાખી

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલ કુંભારવાસ ખાતે રહેતા પ્રજાપતિ પરિવાર છેલ્લા 50 વર્ષથી ચીકણી માટીથી પોતાના હાથે વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવે છે. તેમના દ્વારા બનાવવામાં આવતી મૂર્તિઓની માંગ ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાંથી પણ વધી રહી છે. બનાસકાંઠા જિલ્લાની ઘણી બધી વ્યક્તિઓ પોતાની કલાથી વિવિધ ચીજવસ્તુઓ બનાવે છે. વર્ષો પહેલા 30 થી વધુ પરિવારો ચીકણી માટીમાંથી અવનવી મૂર્તિઓ બનાવીને ગુજરાત અને રાજસ્થાનમાં ખેતી કરતાં. જોકે, છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના લોકો અન્ય વ્યવસાય તરફ વળ્યા છે. તેમ છતાં, આજે પણ અનેક પરિવારો તેમના હાથની કલાથી અવનવી ડિઝાઇનવાળી વિવિધ મૂર્તિઓ બનાવે છે.
વર્ષો જૂની પરંપરા જાળવી રાખી; ડીસાના કુંભારવાસમાં રહેતા ચેતનાબેન શૈલેષભાઇ પ્રજાપતિનો પરિવાર વર્ષોથી ચીકણી માટીમાંથી વિવિધ મૂર્તિઓ બનાવવાના કાર્યમાં જોડાયેલો છે. આ પરંપરા આજે પણ ચાલુ છે. ચેતનાબેનનો પરિવાર અત્યારે પણ વિવિધ તહેવારોના પ્રસંગે વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ ચીકણી માટીમાંથી બનાવે છે.
પાટણના વાગડોદ ગામેથી તળાવની ચીકણી માટી લાવી છેલ્લા 50 વર્ષથી ગણપતિ, અંબે માતાજી, રાધા કૃષ્ણ, શંકર ભગવાન તેમજ દશામાની મૂર્તિઓ બનાવે છે. આવનારા જન્માષ્ટમી અને ગણપતિના તહેવારને લઈને તેઓ હાલમાં રાધાકૃષ્ણ અને ગણપતિની મૂર્તિઓ બનાવી રહ્યા છે. થોડા જ દિવસોમાં જન્માષ્ટમી અને ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે, જેથી આ પરિવાર હાલમાં ગણપતિ અને રાધા કૃષ્ણની મૂર્તિ બનાવવામાં વ્યસ્ત છે. એક મૂર્તિ બનાવવામાં 15 મિનિટનો સમય લાગે છે અને તેઓ રોજની 50 મૂર્તિઓ બનાવે છે.
વર્ષો જૂની પરંપરા જાળવી રાખી; ડીસાના કુંભારવાસમાં રહેતા ચેતનાબેન શૈલેષભાઇ પ્રજાપતિનો પરિવાર વર્ષોથી ચીકણી માટીમાંથી વિવિધ મૂર્તિઓ બનાવવાના કાર્યમાં જોડાયેલો છે. આ પરંપરા આજે પણ ચાલુ છે. ચેતનાબેનનો પરિવાર અત્યારે પણ વિવિધ તહેવારોના પ્રસંગે વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ ચીકણી માટીમાંથી બનાવે છે.
પાટણના વાગડોદ ગામેથી તળાવની ચીકણી માટી લાવી છેલ્લા 50 વર્ષથી ગણપતિ, અંબે માતાજી, રાધા કૃષ્ણ, શંકર ભગવાન તેમજ દશામાની મૂર્તિઓ બનાવે છે. આવનારા જન્માષ્ટમી અને ગણપતિના તહેવારને લઈને તેઓ હાલમાં રાધાકૃષ્ણ અને ગણપતિની મૂર્તિઓ બનાવી રહ્યા છે. થોડા જ દિવસોમાં જન્માષ્ટમી અને ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે, જેથી આ પરિવાર હાલમાં ગણપતિ અને રાધા કૃષ્ણની મૂર્તિ બનાવવામાં વ્યસ્ત છે. એક મૂર્તિ બનાવવામાં 15 મિનિટનો સમય લાગે છે અને તેઓ રોજની 50 મૂર્તિઓ બનાવે છે.ટેગ્સ:#Deesa#cultural heritage#Banaskantha District#Festival Preparations#Clay Idols#Prajapati Family#Traditional Craftsmanship#Janmashtami#Ganapati Festival#Artisanship#Local Art#Kumbharvas#Innovative Designs#Community Tradition#Handmade Crafts#Idols of Gods and Goddesses
સંબંધિત સમાચાર
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
17 કલાક પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
18 કલાક પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
18 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-23 અને સિનિયર ટીમ માટે સિલેક્શન ટ્રાયલ યોજાયું
18 કલાક પહેલા
