રાહ ખાતે આજે મામલતદાર કચેરીએ ગૌભક્તો અને ગૌરક્ષકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌહત્યા પર દેશવ્યાપી પ્રતિબંધ લાદવાની માંગ ઉઠાવવામાં આવી હતી. ગૌમાતાને “રાષ્ટ્રમાતા” જાહેર કરવા સરકાર સમક્ષ ભાવુક અને દૃઢ રજૂઆત કરવામાં આવી. ગૌસંવર્ધન અને ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે કડક કાયદાની માંગ સાથે મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ જોડાયા હતા. આવેદન દરમિયાન ગૌમાતાના સન્માન અને સંરક્ષણ માટે ઉગ્ર પરંતુ શાંતિપૂર્ણ અવાજ ઉઠાવ્યો હતો. ગૌભક્તોએ જણાવ્યું કે ગૌરક્ષા માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ભાવનાનો વિષય છે. મામલતદારે આવેદનપત્ર સ્વીકારી યોગ્ય સ્તરે રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી હતી.
રાહ ખાતે ગૌભક્તોનો હુંકાર: ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

સંબંધિત સમાચાર
વાવ-થરાદસુઇગામના નડાબેટ ખાતે વીર જવાનો સાથે મંત્રીએ રક્ષાબંધનની ઉજવણી કરી
4 દિવસ પહેલા
વાવ-થરાદભાભરને શુદ્ધ પીવાના પાણીની ભેટ: મિનરલ વોટર પ્લાન્ટનું લોકાર્પણ
4 દિવસ પહેલા
વાવ-થરાદધરણીધર ઢીમા મંદિરમાં થયેલ સોનાની ચેઇન ચોરીનો ભેદ ઉકેલતી વાવ પોલીસ
6 દિવસ પહેલા
વાવ-થરાદથરા પોલીસની મોટી કાર્યવાહી: તાતિયાણા-વાલપુરા સીમમાંથી ૧૬ જુગારીઓ ઝડપાયા
6 દિવસ પહેલા
