રાહ ખાતે આજે મામલતદાર કચેરીએ ગૌભક્તો અને ગૌરક્ષકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌહત્યા પર દેશવ્યાપી પ્રતિબંધ લાદવાની માંગ ઉઠાવવામાં આવી હતી. ગૌમાતાને “રાષ્ટ્રમાતા” જાહેર કરવા સરકાર સમક્ષ ભાવુક અને દૃઢ રજૂઆત કરવામાં આવી. ગૌસંવર્ધન અને ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે કડક કાયદાની માંગ સાથે મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ જોડાયા હતા. આવેદન દરમિયાન ગૌમાતાના સન્માન અને સંરક્ષણ માટે ઉગ્ર પરંતુ શાંતિપૂર્ણ અવાજ ઉઠાવ્યો હતો. ગૌભક્તોએ જણાવ્યું કે ગૌરક્ષા માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ભાવનાનો વિષય છે. મામલતદારે આવેદનપત્ર સ્વીકારી યોગ્ય સ્તરે રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી હતી.
રાહ ખાતે ગૌભક્તોનો હુંકાર: ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

સંબંધિત સમાચાર
વાવ-થરાદમેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: દિયોદરમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
10 કલાક પહેલા
વાવ-થરાદવાવ-થરાદ પંથકમાં લાંબા સમય બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
1 દિવસ પહેલા
વાવ-થરાદદિલ્હી આંદોલનના પડઘા થરાદમાં: કોંગ્રેસના ઉગ્ર પ્રદર્શન વચ્ચે પોલીસે વિરોધકર્તાઓની ધડપકડ કરી
2 દિવસ પહેલા
વાવ-થરાદભાભરમાં સીસી રોડના કામમાં લોલમલોલ: ગુણવત્તા ન જળવાતા પીસીસી કામ ઉખેડી ફરી કરાવાયું
2 દિવસ પહેલા
