બનાસકાંઠા સહિત વાવ- થરાદમાં CNG પંપ બંધ
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર CNG પંપ સંચાલકો દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. CNG પંપ સંચાલકોની વિવિધ પડતર માંગણીઓનું લાંબા સમયથી નિરાકરણ ન આવતા બનાસકાંઠા જિલ્લા તેમજ વાવ-થરાદ જિલ્લામાં આવેલા CNG પંપ અચોક્કસ મુદત માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
CNG પંપ સંચાલકો દ્વારા છેલ્લા ઘણા સમયથી પોતાની વિવિધ માંગણીઓને લઈને રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં માંગણીઓનો ઉકેલ ન આવતા સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે આવતીકાલથી તમામ સંબંધિત CNG પંપ બંધ રાખી હડતાળ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
CNG પંપ બંધ રહેતા જિલ્લા માં CNGથી ચાલતા ઓટો રિક્ષા, કાર સહિતના અનેક વાહનોના ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને રોજિંદા પરિવહન માટે CNG પર નિર્ભર વાહન ચાલકોને ઈંધણ ભરાવવા માટે હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. પંપ સંચાલકોની પડતર માંગણીઓનું વહેલી તકે નિરાકરણ આવે અને હડતાળનો અંત આવે તેવી માંગ ઉઠી રહી છે.





