રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
બનાસકાંઠા1 જુલાઈ, 2026| Super Admin

છત્રાલા ગામના વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ: રૂ. 11.50 કરોડની ગ્રાન્ટમાં ગેરરીતિની તપાસની માંગ ઉઠી

છત્રાલા ગામના વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ: રૂ. 11.50 કરોડની ગ્રાન્ટમાં ગેરરીતિની તપાસની માંગ ઉઠી

ડીસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થળ પર પહોંચી વિકાસ કામોની તપાસ શરૂ કરવામાં આવી

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના છત્રાલા ગામમાં વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આક્ષેપોને પગલે ડીસા તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ પર પહોંચી ગામમાં હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરી તપાસ શરૂ કરી છે. રબારીવાસમાં જુની ગટર લાઈનનું માત્ર સમારકામ કરીને નવા કામ તરીકે દર્શાવવામાં આવ્યું છે. આ રીતે ગટર લાઇનના કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

104.jpg 252.06 KB
મળતી માહિતી મુજબ, છત્રાલા ગામને ફાળવાયેલી અંદાજે રૂ. 11.50 કરોડની ગ્રાન્ટ હેઠળ કરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યોમાં નાણાકીય ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ તમામ વિકાસ કાર્યોની સઘન અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. હવે તપાસમાં શું હકીકત સામે આવે છે અને તંત્ર દ્વારા આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું અને આ ભષ્ટ્રાચાર અને ગેરરીતિ મામલે વધુ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર