રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા17 ડિસેમ્બર, 2025| Super Admin

કમોસમી વરસાદના વળતરમાં 'ભેદભાવ' ના આક્ષેપ સાથે આગડોલના ખેડૂતો મેદાને

કમોસમી વરસાદના વળતરમાં 'ભેદભાવ' ના આક્ષેપ સાથે આગડોલના ખેડૂતો મેદાને
નુકસાન છતાં વળતરથી વંચિત ખેડૂતો પ્રાંત કલેક્ટર કચેરીએ દોડી આવ્યા ખેડૂતોએ સર્વેની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને થયેલા નુકસાનના વળતર મુદ્દે હવે વિવાદ વકર્યો છે. ડીસા તાલુકાના આગડોલ ગામના ખેડૂતો આજે મોટી સંખ્યામાં એકઠા થઈ પ્રાંત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને વળતરના સર્વેમાં મોટાપાયે ભેદભાવ થયો હોવાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત કરી હતી. ​આગડોલ ગામના ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી છે. ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ​"જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે, જેમના પાક ખેતરમાં જ નાશ પામ્યા છે, તેમને હજુ સુધી એક પણ રૂપિયાનું વળતર મળ્યું નથી. જ્યારે બીજી તરફ, જેમને કોઈ ખાસ નુકસાન નથી થયું તેવા ખેડૂતોને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે." ​ડીસા નાયબ કલેકટર ​કલેક્ટર કચેરીએ પહોંચેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની માંગ છે કે સર્વેની કામગીરીમાં થયેલી ક્ષતિઓ સુધારવામાં આવે અને તટસ્થ તપાસ કરીને અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમને યોગ્ય ન્યાય નહીં મળે, તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.  

સંબંધિત સમાચાર