સાબરકાંઠા જિલ્લાના વડાલી હાઈવે પર શ્રદ્ધા અને ભક્તિના માર્ગે નીકળેલા એક પદયાત્રી માટે કાળ ભેટી ગયો હોય તેવી કરુણ ઘટના બની છે. ઇડરથી ખેડબ્રહ્મા અંબિકા માતાજીના દર્શને પગપાળા જઈ રહેલા 43 વર્ષીય શ્રદ્ધાળુને વડાલી નજીક એક પૂરપાટ ઝડપે આવતા બાઈક ચાલકે અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે શ્રદ્ધાળુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. માઈભક્તોના સંઘમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે/ અને પરિવારમાં માતમ છવાયો છે.
વડાલી પાસે અકસ્માત: ખેડબ્રહ્મા દર્શને જતાં ઇડરના પદયાત્રીનું બાઈકની ટક્કરે મોત નિપજ્યું

ટેગ્સ:#Wadali Accident
સંબંધિત સમાચાર
અરવલ્લીઈડર સિવિલ હોસ્પિટલમાં ભાજપ અને નગરપાલિકા ટીમ દ્વારા ફ્રૂટ-બિસ્કિટ વિતરણ કરાયું
22 કલાક પહેલા
અરવલ્લીમોડાસામાં અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ૧૨મી વાર્ષિક સભા યોજાઈ
1 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલઆંખ: નકલી એનાલોગ પનીર સામે સઘન તપાસનો ધમધમાટ
3 દિવસ પહેલા
અરવલ્લીઇડરના વેરાબર પાસે ઓવરલોડ ડમ્પરની ટક્કરે વાનના ફાચડા: બે ગંભીર, તંત્ર સામે આક્રોશ
3 દિવસ પહેલા
