રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
વાવ-થરાદ7 મે, 2026| Super Admin

ભાભર ખાતે ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ સાથે વિશાળ રેલી નીકળી

ભાભર ખાતે ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ સાથે વિશાળ રેલી નીકળી

રેલીમાં સંતો-મહંતો, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા

સમગ્ર દેશમાં ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. તે અંતર્ગત આજે ભાભર ખાતે “ગૌ આહવાન અભિયાન” હેઠળ ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે ભવ્ય રેલી યોજાઈ હતી. આ રેલીનો પ્રારંભ ભાભરના ગાય સર્કલ ખાતેથી કરવામાં આવ્યો હતો. જેમાં પગપાળા, બાઈક તેમજ ટ્રેક્ટર સાથે વિશાળ સંખ્યામાં સંતો મહંતો સાથે ગૌભક્ત ભાઈઓ તેમજ બહેનો  જોડાયા હતા. રેલીમાં સંતો-મહંતો, ગૌસેવકો, ભાભર નગરજનો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગૌભક્તોએ ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે બેનરો અને સૂત્રોચ્ચારો દ્વારા પોતાની માંગ રજૂ કરી હતી. રેલી ગાય સર્કલથી ભાભર મામલતદાર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં ભાભર મામલતદારને પ્રાર્થના પત્ર પાઠવી ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા તેમજ ગૌહત્યા બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ રેલી જલારામ ગૌશાળા ખાતે પૂર્ણ થઈ હતી. જ્યાં ગૌભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

ટેગ્સ:#bhabhar#Gaumata

સંબંધિત સમાચાર