ફટાકડાના કારણે આગ લાગી હોવાનો ખેડૂતનો આક્ષેપ
આજે વહેલી સવારે ભાભર વાવ રોડ પર આવેલ અખાણી પોપટલાલના ખેતરમાં વાવેતર કરેલ ચોમાસું જુવારના પાકમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાનો આક્ષેપ ખેડૂત મંછાજી ઠાકોરે કર્યો હતો. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં અડધા ખેતરમાં આગ પ્રસરી ગઈ હતી. તાત્કાલીક ખેડૂતોએ પાણીના ટેન્કરથી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ બાબતે પાલીકાને જાણ કરતા પાલીકા સદસ્ય રાજુભાઈ ઠાકોર અને વિનોદભાઈ ઠક્કર દોડી આવી પાલીકાના ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવતા આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.પણ જુવારનો બે વિઘમાં ઉભો ધાસચારો બળી જતાં મોટુ નુકસાન થતાં ખેડૂતની દિવાળી બગડી હતી. આગની જાણ થતાં ભાભર મામલતદાર પણ ધટના સ્થળે દોડી આવેલ.આ બાબતે પોપટલાલ અખાણીએ જણાવ્યું હતું કે ફટાકડાના તણખાના કારણે ઘાસચારો બળી જતાં મોટું નુકસાન થયેલ છે માટે ફટાકડા ફોડતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે.
Beta feature


