રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
સાબરકાંઠા16 ફેબ્રુઆરી, 2026| Super Admin

સાબરકાંઠા જિલ્લાને મળી આધુનિક રેલ સુવિધાની ભેટ

સાબરકાંઠા જિલ્લાને મળી આધુનિક રેલ સુવિધાની ભેટ
હિંમતનગર રેલ્વે સ્ટેશન ખાતે ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ  શોભનાબેન બારૈયાના હસ્તે ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના મુસાફરો માટે આજે ઐતિહાસિક દિવસ રહ્યો છે. રેલ્વે મંત્રાલય દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણય મુજબ, ઉદયપુર – અસારવા (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસને હવે હિંમતનગર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ સ્ટોપેજથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આસપાસના વિસ્તારના લોકો હવે માત્ર ગણતરીના કલાકોમાં અમદાવાદ અથવા ઉદયપુર પહોંચી શકશે. અમદાવાદ અને રાજસ્થાન સાથે સીધી અને ઝડપી કનેક્ટિવિટી મળતા સ્થાનિક વેપાર, શિક્ષણ અને પ્રવાસન ક્ષેત્રને મોટો ફાયદો થશે. "આ સ્ટોપેજ માત્ર એક ટ્રેન ઊભી રાખવાનો નિર્ણય નથી, પરંતુ હિંમતનગરના વિકાસ માટેનો એક નવો માઈલસ્ટોન છે. વિદ્યાર્થીઓ, વેપારીઓ અને દર્દીઓ માટે અમદાવાદ જવું હવે વધુ સુલભ અને આરામદાયક બનશે." આ અવસરે  રાજ્યસભા સાંસદ  રમીલાબેન બારા, રાજ્યસભા સાંસદ  મયંકભાઈ નાયક, જિલ્લા કલેકટર  લલિત નારાયણ સિંઘ સાંદુ, મુખ્ય પોલીસવડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, રેલવે વિભાગના અધિકારીશ્રી, વિવિધ પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.  

સંબંધિત સમાચાર