રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ4 મે, 2026| Super Admin

સિદ્ધિ સરોવરમાં યુવાને લગાવી મોતની છલાંગ: પાટણમાં અરેરાટી વ્યાપી

સિદ્ધિ સરોવરમાં યુવાને લગાવી મોતની છલાંગ: પાટણમાં અરેરાટી વ્યાપી

બનાવની જાણ ફાયર વિભાગને થતાં સ્ટાફે ધટના સ્થળે આવી મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરી

પાટણના સિદ્ધિ સરોવરમાં રવિવારે મોડી સાંજે પ્રજાપતિ સમાજના યુવાને અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લેતા પરિવારજનો સહિત સમાજમાં દુખની કાલિમા છવાઈ જવા પામી હતી. પાટણના સિદ્ધિ સરોવર સુસાઈડ પોઈન્ટ તરીકે જાણીતું બન્યું છે, જ્યાં જીવનથી નિરાશ થયેલા લોકો મોતની છલાંગ લગાવી પોતાનું જીવન ટૂંકાવતા હોવાના અસંખ્ય બનાવો બન્યા છે. 

ત્યારે રવિવારે મોડી સાંજે પાટણમા રહેતા પ્રજાપતિ પરિવારના એક યુવાને અગમ્ય કારણોસરસિદ્ધિ સરોવરમાં મોતની છલાંગ લગાવી પોતાની જીવન લીલા સંકેલી લેતા અને આ બનાવની જાણ કોર્પોરેટર ભરત ભાટિયાને થતાં તેઓ દ્રારા આ ધટનાની જાણ પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ભારે જહેમત બાદ સરોવરમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે લાશનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર