રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા25 મે, 2026| Super Admin

ઊંઝા APMC: મસાલા સીઝન પૂર્ણતાના આરે, યુદ્ધના પગલે નિકાસ ઠપ્પ

ઊંઝા APMC: મસાલા સીઝન પૂર્ણતાના આરે, યુદ્ધના પગલે નિકાસ ઠપ્પ

જીરાની ૧૨ હજાર વરીયાળી ૪ હજાર અને ઈસબગુલની ૮ હજાર બોરીની આવકો 

ઊંઝા એપીએમસીમાં છેલ્લા એક મહિનાથી પડ્યું બજાર જોવા મળી રહ્યું છે. વાયદાના આધારે બજારમાં વધઘટ જોવા મળી રહી છે. મસાલાની સીઝન પુર્ણતાને આરે છે ત્યારે આવકો પણ કપાઈ રહી છે. લોકલ ઘરાકી નથી જ્યારે યુધ્ધને પગલે એકસપોર્ટ સાવ ઠપ્પ થઈ ગયું છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતાં અને એકસપોર્ટની ઘરાકી ન રહેતા વેપારીઓની પણ સીઝન ફેલ થઈ ગઈ છે. યુધ્ધ બંધ થાય અને એકસપોર્ટની ઘરાકી આવે તેની વેપારીઓ કાગડોળે રાહ જોઇ બેઠા છે પરંતુ હજીસુધી યુધ્ધ અંગે ચિત્ર સ્પષ્ટ ન થતાં વેપારીઓ દ્વિધામાં મુકાયા છે. 

હાલ જીરાની ૧૨ હજાર બોરીની આવકો આવી રહી છે. જેની સામે મણના સરેરાશ ભાવ ૩૬૦૦ થી ૪૦૦૦ રૂપિયા જ્યારે સારા માલના ૩૯૦૦ થી ૪૦૦૦ રૂપિયા જોવા મળી રહ્યા છે. આવકો દિનપ્રતિદિન ઘટી રહી છે. જીરાની આવકો રાજસ્થાન, કચ્છ, કાઠીયાવાડ અને ઉત્તર ગુજરાતમાંથી જોવા મળી રહી છે.  

ઉંઝા યાર્ડમાં વરીયાળીની ૪ હજાર બોરીની આવકો આવી રહી છે. જેની સામે વરીયાળીના મણના સરેરાશ ભાવ ૨૦૦૦ થી ૭૦૦૦ રૂપિયા જ્યારે સારા માલના ૩૦૦૦ થી ૪૦૦૦ રૂપિયા અને આબુરોડ બેસ્ટ કલર માલના ૪૦૦૦ થી ૭૦૦૦ રૂપિયા જોવા મળી રહ્યા છે.‌ ઈસબગુલની ૮ હજાર બોરીની આવકો આવી રહી છે. ઈસબગુલના મણના સરેરાશ ભાવ ૨૫૦૦ થી ૨૯૦૦ રૂપિયા જ્યારે સારા માલના ૨૮૦૦ થી ૨૯૦૦ રૂપિયા રહેવા પામ્યા છે. રાજસ્થાન, કચ્છ કાઠીયાવાડથી આવકો આવી રહી છે. ઈસબગુલ જણસી એકસપોર્ટની આઈટમ હોવાથી યુધ્ધની સીધી અસર પડી છે.

ટેગ્સ:#Unjha APMC

સંબંધિત સમાચાર