- હોમ
- /Uncategorized
- /વડગામના ધોતામા ધોળા દિવસે સોના ચાંદીના દાગીના ની ચોરી
વડગામના ધોતામા ધોળા દિવસે સોના ચાંદીના દાગીના ની ચોરી

રાજેસ્થાનનો પરીવાર ધંધા અર્થે ધોતામા સ્થાયી થયેલો છે : પરીવાર સવારે કામે ગયો તસ્કરો દિવસે દાગીના ઉઠાવી ગયા
વડગામ તાલુકાના ધોતા ગામમાં રહેતા એક રાજેસ્થાન પરીવાર ના બંધ મકાનમાં થી ધોળા દિવસે કોઇ અજાણ્યા તસ્કરો દ્વારા સોના ચાંદી ના દાગીના ની ચોરી કરી જતાં આ અંગેની ફરીયાદ વડગામ પોલીસ મથકે નોંધાવા પામી છે.
વડગામ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વસંતસિંહ ખેમસિંહ રાજપૂત હાલ રહે ધોતા તા.વડગામ,મુળ રહે સનપુર તા.રેવદર,જિ.શિરોહી વાળા છેલ્લા આશરે ૨૦ વર્ષ થી ધોતા ખાતે ધંધા રોજગાર માટે રહે છે.જેઓના રહેણાંક છાપરાવળા મકાન માંથી કોઈ અજાણ્યા ચોર ઇસમો દ્વારા દિવસ દરમિયાન રહેણાંક છાપરામાં તાળું તોડીને પ્રવેશ કરીને અંદર સોનાની બુટ્ટી,સોનાની કંઠી, ચાંદીના કડલા, ચાંદીની પાયલ મળીને કુલ રૂપિયા ૧,૩૯,૦૦૦/- (એક લાખ ઓગણચાલીસ) રૂપિયાના મુદ્દામાલની ચોરી કરીને લઈ જતાં આ અંગેની વસંતસિંહ એ વડગામ પોલીસ મથકે નોંધાવી હતી.
સંબંધિત સમાચાર
Uncategorizedજસ્ટિસ મનમોહને રાજ નિવાસ ખાતે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા
1 વર્ષ પહેલા
Uncategorizedમધ્યપ્રદેશના ખંડવામાં મશાલ સરઘસમાં ભીષણ આગ 30થી વધુ લોકો દાઝી ગયા
1 વર્ષ પહેલા
Uncategorizedમહારાષ્ટ્રના ગોંદિયામાં અકસ્માત બસ પલટી જતાં 9 મુસાફરોના મોત 25 ઘાયલ
1 વર્ષ પહેલા
Uncategorizedબનાસકાંઠા જિલ્લામાં પણ ઠંડી નો પારો બે થી ત્રણ ડિગ્રી ગગડવાની શક્યતાઓ
1 વર્ષ પહેલા
