ભાભર શહેરમાં દર મહિને બે દિવસ દુકાનો બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મહેતા એસોસિએશનની લાંબા સમયથી ચાલી આવતી માંગણી બાદ નગરપાલિકાએ આ નિર્ણય લીધો છે. આ બંધ દર પૂનમ અને અમાસના દિવસે રહેશે.મહેતા એસોસિએશન દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાંથી આવતા કર્મચારીઓ માટે દર રવિવારે રજા રાખવાની માંગણી ઘણા વર્ષોથી કરવામાં આવી રહી હતી. આ માંગણીને નગરપાલિકાના ગુમાસ્તા ધારાના નિયમ હેઠળ અમલમાં મૂકવા માટે પ્રયાસો ચાલુ હતા.આ અંગે ભાભર નગરપાલિકાના હોલ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ અમૃતભાઈ માળીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વેપારીઓ અને મહેતા એસોસિએશનના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન, મહેતા એસોસિએશનની માંગણી સંતોષવા માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નગરપાલિકાના સદસ્યો, વેપારી મિત્રો અને મહેતા એસોસિએશનના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત સૌની ઉપસ્થિતિમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો કે ભાભર શહેર દર પૂનમ અને દર અમાસના દિવસે સંપૂર્ણપણે બંધ રહેશે.
આ નિર્ણયને વેપારી મિત્રો અને મહેતા એસોસિએશન દ્વારા આવકારવામાં આવ્યો છે, જે કર્મચારીઓ અને વેપારીઓ બંને માટે સંતુલન લાવવામાં મદદ કરશે.
- હોમ
- /ઉત્તર ગુજરાત
- /ભાભર શહેરમાં પૂનમ અને અમાસના દિવસે દુકાનો બંધ
ભાભર શહેરમાં પૂનમ અને અમાસના દિવસે દુકાનો બંધ

સંબંધિત સમાચાર
ઉત્તર ગુજરાતથરાદમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
2 અઠવાડિયા પહેલા
ઉત્તર ગુજરાતઅંબાજી શક્તિપીઠમાં રાત્રિ પૂજા પર માત્ર ગણતરીના ટ્રસ્ટોનો જ હક કેમ? સમાન તક આપવા હાઈકોર્ટમાં અરજી
2 અઠવાડિયા પહેલા
ઉત્તર ગુજરાતડીસાના ભોયણમાં વીજકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
2 અઠવાડિયા પહેલા
ઉત્તર ગુજરાતઅમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત
2 અઠવાડિયા પહેલા
