રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
ઉત્તર ગુજરાત11 જુલાઈ, 2026| Super Admin

ભાભર શહેરમાં પૂનમ અને અમાસના દિવસે દુકાનો બંધ

ભાભર શહેરમાં પૂનમ અને અમાસના દિવસે દુકાનો બંધ

ભાભર શહેરમાં દર મહિને બે દિવસ દુકાનો બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મહેતા એસોસિએશનની લાંબા સમયથી ચાલી આવતી માંગણી બાદ નગરપાલિકાએ આ નિર્ણય લીધો છે. આ બંધ દર પૂનમ અને અમાસના દિવસે રહેશે.મહેતા એસોસિએશન દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાંથી આવતા કર્મચારીઓ માટે દર રવિવારે રજા રાખવાની માંગણી ઘણા વર્ષોથી કરવામાં આવી રહી હતી. આ માંગણીને નગરપાલિકાના ગુમાસ્તા ધારાના નિયમ હેઠળ અમલમાં મૂકવા માટે પ્રયાસો ચાલુ હતા.આ અંગે ભાભર નગરપાલિકાના હોલ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ અમૃતભાઈ માળીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વેપારીઓ અને મહેતા એસોસિએશનના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન, મહેતા એસોસિએશનની માંગણી સંતોષવા માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નગરપાલિકાના સદસ્યો, વેપારી મિત્રો અને મહેતા એસોસિએશનના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત સૌની ઉપસ્થિતિમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો કે ભાભર શહેર દર પૂનમ અને દર અમાસના દિવસે સંપૂર્ણપણે બંધ રહેશે.
આ નિર્ણયને વેપારી મિત્રો અને મહેતા એસોસિએશન દ્વારા આવકારવામાં આવ્યો છે, જે કર્મચારીઓ અને વેપારીઓ બંને માટે સંતુલન લાવવામાં મદદ કરશે.

સંબંધિત સમાચાર