વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દિયોદર પંથકમાં 6 ઇંચ વરસાદ પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ભારે વરસાદને કારણે સોસાયટી અને નગર સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ પર પાણી ફરી વળતાં સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.
વાવ-થરાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આજે, 24 જુલાઈના રોજ, તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લા કલેક્ટર મયુર મહેતાએ આ અંગે આદેશ જાહેર કર્યો છે. આ આદેશ અંતર્ગત વાવ-થરાદ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ તમામ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. જિલ્લા વહીવટી તંત્રએ હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી સતત ચાલુ રહ્યો હતો. આ મેઘમહેરથી વાવ અને થરાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દિયોદર શહેરમાં સારો વરસાદ થતાં અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: દિયોદરમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

સંબંધિત સમાચાર
વાવ-થરાદભાભર રેલવે સ્ટેશન પર ભુજ-દિલ્હી એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ અને લંબાવવાની માંગ
1 દિવસ પહેલા
વાવ-થરાદસુઇગામના નડાબેટ ખાતે વીર જવાનો સાથે મંત્રીએ રક્ષાબંધનની ઉજવણી કરી
4 દિવસ પહેલા
વાવ-થરાદભાભરને શુદ્ધ પીવાના પાણીની ભેટ: મિનરલ વોટર પ્લાન્ટનું લોકાર્પણ
4 દિવસ પહેલા
વાવ-થરાદધરણીધર ઢીમા મંદિરમાં થયેલ સોનાની ચેઇન ચોરીનો ભેદ ઉકેલતી વાવ પોલીસ
6 દિવસ પહેલા
