રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય25 જુલાઈ, 2026| Super Admin

જંતર-મંતર પર ૩૬ દિવસના આંદોલન બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું!

જંતર-મંતર પર ૩૬ દિવસના આંદોલન બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું!

"દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા NEET પેપર લીક પ્રકરણમાં એક મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. જંતર-મંતર પર ૩૬ દિવસથી ચાલી રહેલા આંદોલન અને Gen Z ના ભારે આક્રોશ સામે અંતે કેન્દ્ર સરકારે ઝૂકવું પડ્યું છે, અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આંદોલનકારીઓની સ્પષ્ટ માંગ હતી કે જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેઓ પીછેહઠ નહીં કરે. આ મામલે ધર્મેન્દ્ર પ્રધાને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ ચાર દાયકાથી વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે સમર્પિત રહ્યા છે અને દેશના યુવાનોની આકાંક્ષાઓ તથા ન્યાયી અપેક્ષાઓનું તેઓ સન્માન કરે છે. પોતાના રાજીનામા અંગે વાત કરતા તેમણે ૩ મેના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષામાં સર્જાયેલી ગેરરીતિઓ અને ત્યારબાદ સરકારે સીબીઆઈ તપાસ તેમજ પરીક્ષા રદ કરવાના લીધેલા નિર્ણયોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે 21 જૂનના રોજ પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી અને 16 જુલાઈએ પરિણામો પણ જાહેર થયા હતા, પરંતુ આ સમગ્ર સ્થિતિની નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે અંતે આ પગલું ભર્યું છે."

સંબંધિત સમાચાર