"દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા NEET પેપર લીક પ્રકરણમાં એક મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. જંતર-મંતર પર ૩૬ દિવસથી ચાલી રહેલા આંદોલન અને Gen Z ના ભારે આક્રોશ સામે અંતે કેન્દ્ર સરકારે ઝૂકવું પડ્યું છે, અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આંદોલનકારીઓની સ્પષ્ટ માંગ હતી કે જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેઓ પીછેહઠ નહીં કરે. આ મામલે ધર્મેન્દ્ર પ્રધાને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ ચાર દાયકાથી વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે સમર્પિત રહ્યા છે અને દેશના યુવાનોની આકાંક્ષાઓ તથા ન્યાયી અપેક્ષાઓનું તેઓ સન્માન કરે છે. પોતાના રાજીનામા અંગે વાત કરતા તેમણે ૩ મેના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષામાં સર્જાયેલી ગેરરીતિઓ અને ત્યારબાદ સરકારે સીબીઆઈ તપાસ તેમજ પરીક્ષા રદ કરવાના લીધેલા નિર્ણયોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે 21 જૂનના રોજ પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી અને 16 જુલાઈએ પરિણામો પણ જાહેર થયા હતા, પરંતુ આ સમગ્ર સ્થિતિની નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે અંતે આ પગલું ભર્યું છે."
જંતર-મંતર પર ૩૬ દિવસના આંદોલન બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું!

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયપંજાબ SIR માંથી ભાજપ સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ ગાયબ
5 કલાક પહેલા
રાષ્ટ્રીયઔરંગાબાદના કુટુમ્બામાં સગીર છોકરી પર સામૂહિક બળાત્કાર; બેની ધરપકડ
7 કલાક પહેલા
રાષ્ટ્રીયપીઢ ગુજરાતી સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી
7 કલાક પહેલા
રાષ્ટ્રીયરામ મંદિર ટ્રસ્ટના CEO તરીકે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની નિમણૂક
10 કલાક પહેલા
