રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
અરવલ્લી1 સપ્ટેમ્બર, 2026| Super Admin

હિંમતનગર સિવિલમાં 'સીએમ સેતુ યોજના' હેઠળ સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ શરૂ

હિંમતનગર સિવિલમાં 'સીએમ સેતુ યોજના' હેઠળ સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ શરૂ

હિંમતનગર સ્થિત જીમર્સ (GMERS) મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકારની ‘સીએમ સેતુ યોજના’ અંતર્ગત વિવિધ વિભાગોના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની સેવાઓ વિધિવત શરૂ કરવામાં આવી છે. 

સિવિલના આર.એમ.ઓ. ડૉ.વિપુલભાઈ જાનીએ જણાવ્યું કે, આ યોજના હેઠળ હિંમતનગરના સ્થાનિક નિષ્ણાત તબીબો અઠવાડિયામાં ત્રણ દિવસ નિયત સમય મુજબ હોસ્પિટલમાં સેવા આપશે. જેમાં ઓપીડી નંબર-૯ માં બે નેફ્રોલોજિસ્ટ સોમથી શુક્ર બપોરે ૨ થી ૫ અને શનિવારે સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમિયાન, એક કાર્ડિયોલોજિસ્ટ મંગળ, ગુરુ અને શુક્ર બપોરે ૨ થી ૫ દરમિયાન તેમજ એક ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ મંગળ અને શુક્ર બપોરે ૨ થી ૫ તથા શનિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી સેવા આપશે. આ ઉપરાંત ઓપીડી નંબર-૪ માં બે ન્યુરોસર્જન સોમવારથી શનિવાર સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન અને એક યુરોસર્જન મંગળ, બુધ તથા શુક્રવારે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી દર્દીઓની તપાસ કરશે. 

અગાઉ નિષ્ણાત તબીબોના અભાવે માથાની ગંભીર ઈજા (હેડ ઇન્જરી) કે અન્ય જટિલ બીમારી ધરાવતા દર્દીઓને અમદાવાદ રિફર કરવા પડતા હતા, પરંતુ હવે સ્થાનિક સ્તરે જ આ નિષ્ણાત સેવાઓ ઉપલબ્ધ થતાં દર્દીઓને અમદાવાદ જવામાંથી મુક્તિ મળશે અને શરૂઆતના ગણતરીના દિવસોમાં જ ૧૮ થી ૧૯ જેટલા દર્દીઓને દાખલ કરી સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે.

સંબંધિત સમાચાર