રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા16 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસામાં જાહેરનામાના ભંગ બદલ સ્પા પાર્લરોમાં કડક ચેકિંગ : સંચાલકોમાં ફફડાટ

ડીસામાં જાહેરનામાના ભંગ બદલ સ્પા પાર્લરોમાં કડક ચેકિંગ : સંચાલકોમાં ફફડાટ

ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ડીસા દક્ષિણ પોલીસ એક્શન મોડમાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના કડક અમલ માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસને પગલે સ્પા અને મસાજ પાર્લર ચલાવતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ​​બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા. 01/01/2026 થી 28/02/2026 સુધી અમલમાં રહે તે રીતે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, દરેક સ્પા અને મસાજ પાર્લર સંચાલકોએ ત્યાં કામ કરતા સ્ટાફની સંપૂર્ણ વિગતો પોલીસ સ્ટેશનમાં નોંધાવવી ફરજિયાત છે. આ નિયમના પાલન અંગે તપાસ કરવા ડીસા દક્ષિણ પી.આઈ. એમ.બી. કોટવાલની સૂચનાથી પી.એસ.આઈ. જી.જી. યુનારા અને તેમની ટીમે શહેરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ​પોલીસ ટીમે ડીસા- પાલનપુર હાઈવે પર સ્થિત “એ.વન ન્યુ રીલેક્સ સ્પા બોડી મસાજ” ખાતે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, પાર્લરમાં કાર્યરત સ્ટાફ અંગેના જરૂરી દસ્તાવેજો કે પોલીસ રજીસ્ટ્રેશન સંબંધિત કોઈ માહિતી સ્થળ પર ઉપલબ્ધ નહોતી. જાહેરનામાના ભંગ બદલ પોલીસ દ્વારા પંચોની હાજરીમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ​આ કામગીરીમાં પી.એસ.આઈ. જી.જી. યુનારા સાથે આર.એમ. ચાવડા, એએસઆઈ હસમુખભાઈ સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. પોલીસ દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે ​કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં તેમજ ​દરેક સંચાલકે સ્ટાફ વેરિફિકેશન કરાવવું અનિવાર્ય છે.​નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાયદાકીય પગલાં ભરાશે તેમ જણાવ્યું હતું.    

સંબંધિત સમાચાર