રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ12 મે, 2026| Super Admin

ગ્રીન એનર્જી તરફ ડગલું: પાટણ યુનિવર્સિટી હવે સૌર ઊર્જાથી ઝળહળશે, રાજ્યની પ્રથમ સોલાર યુનિવર્સિટી બનશે

ગ્રીન એનર્જી તરફ ડગલું: પાટણ યુનિવર્સિટી હવે સૌર ઊર્જાથી ઝળહળશે, રાજ્યની પ્રથમ સોલાર યુનિવર્સિટી બનશે

યુનિવર્સિટીને સોલારયુક્ત બનાવવા માટે અંદાજિત 4 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના

ઝીરો વીજ બિલ માટે કુલપતિની અધ્યક્ષતામાં નિષ્ણાતોની બેઠક યોજાઈ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ગુજરાતની પ્રથમ 'સોલાર યુનિવર્સિટી' બનવા જઈ રહી છે. કુલપતિ પ્રો. કે.સી. પોરીયાના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી કેમ્પસને સોલાર પેનલોથી સજ્જ કરવાની સક્રિય કામગીરી શરૂ થઈ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય યુનિવર્સિટીને 100 ટકા સોલાર ઊર્જા યુક્ત બનાવી વીજ બિલ શૂન્ય કરવાનો છે.

યુનિવર્સિટી કેમ્પસમાં વહીવટી ભવન સહિત અંદાજે 19 જેટલા બિલ્ડીંગો આવેલા છે, જેમાંથી કેટલાક પર હાલમાં સોલાર સિસ્ટમ કાર્યરત છે. સમગ્ર કેમ્પસને ઝીરો વીજ બિલ તરફ લઈ જવા માટે કુલપતિ પ્રો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં જેટકો,યુજીવીસીએલ, જેડા અને સોલાર નિષ્ણાતોની એક ખાસ બેઠક ગતરોજ યોજાઈ હતી.આ બેઠકમાં યુનિવર્સિટીને સંપૂર્ણપણે સોલારયુક્ત બનાવવા માટે જરૂરી ટેકનિકલ બાબતો, સરકારની સહાય યોજનાઓ અને સીએસઆર ફંડ મેળવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે 4 સભ્યોની નિષ્ણાત કમિટીની રચના કરવામાં આવી છે.આ કમિટી યુનિવર્સિટીના વીજ વપરાશ અને બિલ્ડીંગોના ધાબા પર ઉપલબ્ધ જગ્યાનું મૂલ્યાંકન કરી વિગતવાર પ્રપોઝલ તૈયાર કરશે.

યુનિવર્સિટીના બાંધકામ વિભાગના એન્જિનિયર વિપુલભાઈ સાંડેસરાના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીને સોલારયુક્ત બનાવવા માટે અંદાજિત 4 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. આ માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને આગામી 6 માસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર