રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ12 મે, 2026| Super Admin

રાધનપુરમાં સનસનાટી: આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી, પોલીસ તપાસનો ધમધમાટ

રાધનપુરમાં સનસનાટી: આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી, પોલીસ તપાસનો ધમધમાટ

પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં વહેલી સવારે એક આધેડનો લોહી લુહાણ હાલત માં મૃતદેહ મળી આવ્યો હતો. શરીર પર ગંભીર ઇજાના નિશાન હોવાથી પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ મૃતદેહ રાધનપુરના મશાલી રોડ પર આવેલી કેનાલ પાસેથી મળી આવ્યો હતો.

 સ્થાનિક લોકોએ પોલીસ ને જાણ કરતા રાધનપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મૃતકની ઓળખ મશાલી ગામના રહેવાસી બચુભાઈ રાવળ તરીકે થઈ છે. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.પ્રાથમિક તપાસમાં બચુભાઈને કોઈ તીક્ષ્ણ હથિયાર અથવા ધોકા વડે માર મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યા પાછળ અંગત અદાવત છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર