રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા18 મે, 2026| Super Admin

મહેસાણામાં વસ્તી ગણતરી માટે સેલ્ફ એન્યુમિરેશન પ્રક્રિયા શરૂ

મહેસાણામાં વસ્તી ગણતરી માટે સેલ્ફ એન્યુમિરેશન પ્રક્રિયા શરૂ

જિલ્લા કલેક્ટરે સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી

ભારત સરકાર દ્વારા આગામી સમયમાં યોજાનારી ‘વસ્તી ગણતરી-૨૦૨૭’ની પ્રક્રિયાને વધુ સરળ અને સચોટ બનાવવા માટે ‘સેલ્ફ એન્યુમિરેશન’ (સ્વ-ગણતરી)ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. પ્રજાપતિએ આજે  ઓનલાઇન પોર્ટલના માધ્યમથી સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી જિલ્લાના નાગરિકો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી એ રાષ્ટ્રીય મહત્વની કામગીરી છે. આગામી ૦૧ જૂન થી ૩૦ જૂન દરમિયાન ‘હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ’ની કામગીરી શરૂ થનાર છે, તેના પૂર્વે ૧૭ થી ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન નાગરિકો પોતાની વિગતો જાતે જ ઓનલાઇન ભરી શકે તે માટે સેલ્ફ એન્યુમિરેશન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "મેં આજે મારી વિગતો ઓનલાઇન સબમિટ કરી છે. આ પદ્ધતિ અત્યંત સરળ અને સુરક્ષિત છે. હું મહેસાણા જિલ્લાની જનતાને અપીલ કરું છું કે આપ સૌ પણ https://se.census.gov.in પોર્ટલ પર જઈને આધુનિક ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે સ્વ-ગણતરીની પ્રક્રિયામાં સહભાગી બનો, જેથી ગણતરીકાર જ્યારે આપના ઘરે આવે ત્યારે આપનો અને તંત્રનો સમય બચે.”

સંબંધિત સમાચાર