રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ2 મે, 2026| Super Admin

સાંતલપુર : કોરડાની રામદેવ ગૌશાળામાં ભીષણ આગ, લાખોનો ઘાસચારો બળીને ખાખ

સાંતલપુર : કોરડાની રામદેવ ગૌશાળામાં ભીષણ આગ, લાખોનો ઘાસચારો બળીને ખાખ

ગૌશાળાના સંચાલકો સહિત ગૌભકતોએ તંત્ર દ્વારા સર્વે હાથ ધરી વળતર મળે તેવી આશા વ્યકત કરી

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે આવેલ રામદેવ ગૌશાળામાં શનિવારે બપોરના સુમારે અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી. આ ભયંકર લાગેલી આગને ઓલવવા માટે ગૌશાળાના સંચાલકો સહિત ગૌભકતોએ ભારે જહેમત ઉઠાવી મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી.

આ અગમ્ય કારણોસર લાગેલી આગમાં પશુઓ માટે સંગ્રહ કરાયેલ ઘાસચારો સળગી જતા ગૌશાળા સંચાલકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે આગની ઘટનામાં કોઈ પશુની જાનહાનિ ન થતાં ગૌશાળા સંચાલકો અને ગૌ ભકતોએ રાહત અનુભવી હતી. આગના કારણે ગૌશાળામાં થયેલ નુકસાન માટે તંત્ર દ્વારા સર્વે કરી જરૂરી વળતર ચુકવવામાં આવે તેવી ગૌશાળાના સંચાલકો સહિત ગૌભકતોએ આશા વ્યકત કરી છે.

સંબંધિત સમાચાર