રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ2 મે, 2026| Super Admin

સાંતલપુર : કોરડાની રામદેવ ગૌશાળામાં ભીષણ આગ, લાખોનો ઘાસચારો બળીને ખાખ

સાંતલપુર : કોરડાની રામદેવ ગૌશાળામાં ભીષણ આગ, લાખોનો ઘાસચારો બળીને ખાખ

ગૌશાળાના સંચાલકો સહિત ગૌભકતોએ તંત્ર દ્વારા સર્વે હાથ ધરી વળતર મળે તેવી આશા વ્યકત કરી

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે આવેલ રામદેવ ગૌશાળામાં શનિવારે બપોરના સુમારે અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી. આ ભયંકર લાગેલી આગને ઓલવવા માટે ગૌશાળાના સંચાલકો સહિત ગૌભકતોએ ભારે જહેમત ઉઠાવી મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી.

આ અગમ્ય કારણોસર લાગેલી આગમાં પશુઓ માટે સંગ્રહ કરાયેલ ઘાસચારો સળગી જતા ગૌશાળા સંચાલકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે આગની ઘટનામાં કોઈ પશુની જાનહાનિ ન થતાં ગૌશાળા સંચાલકો અને ગૌ ભકતોએ રાહત અનુભવી હતી. આગના કારણે ગૌશાળામાં થયેલ નુકસાન માટે તંત્ર દ્વારા સર્વે કરી જરૂરી વળતર ચુકવવામાં આવે તેવી ગૌશાળાના સંચાલકો સહિત ગૌભકતોએ આશા વ્યકત કરી છે.

સંબંધિત સમાચાર