રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ2 મે, 2026| Super Admin

સાંતલપુર : કોરડાની રામદેવ ગૌશાળામાં ભીષણ આગ, લાખોનો ઘાસચારો બળીને ખાખ

સાંતલપુર : કોરડાની રામદેવ ગૌશાળામાં ભીષણ આગ, લાખોનો ઘાસચારો બળીને ખાખ

ગૌશાળાના સંચાલકો સહિત ગૌભકતોએ તંત્ર દ્વારા સર્વે હાથ ધરી વળતર મળે તેવી આશા વ્યકત કરી

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે આવેલ રામદેવ ગૌશાળામાં શનિવારે બપોરના સુમારે અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી. આ ભયંકર લાગેલી આગને ઓલવવા માટે ગૌશાળાના સંચાલકો સહિત ગૌભકતોએ ભારે જહેમત ઉઠાવી મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી.

આ અગમ્ય કારણોસર લાગેલી આગમાં પશુઓ માટે સંગ્રહ કરાયેલ ઘાસચારો સળગી જતા ગૌશાળા સંચાલકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે આગની ઘટનામાં કોઈ પશુની જાનહાનિ ન થતાં ગૌશાળા સંચાલકો અને ગૌ ભકતોએ રાહત અનુભવી હતી. આગના કારણે ગૌશાળામાં થયેલ નુકસાન માટે તંત્ર દ્વારા સર્વે કરી જરૂરી વળતર ચુકવવામાં આવે તેવી ગૌશાળાના સંચાલકો સહિત ગૌભકતોએ આશા વ્યકત કરી છે.

સંબંધિત સમાચાર