રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા12 મે, 2026| Super Admin

વડનગરના શાહપુરમાં ખનીજ માફિયાઓ પર તરાપ, ₹65 લાખનો મુદ્દામાલ જપ્ત

વડનગરના શાહપુરમાં ખનીજ માફિયાઓ પર તરાપ, ₹65 લાખનો મુદ્દામાલ જપ્ત

જિલ્લામાં ભૂમાફિયાઓ વિરુદ્ધ લાલ આંખ કરતા ખાણ-ખનીજ વિભાગે વડનગર તાલુકાના શાહપુર ગામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગામની સીમમાં આવેલી ખાનગી જમીનમાં ચાલી રહેલા ગેરકાયદે ખાણકામનો પર્દાફાશ કરી અધિકારીઓએ લાખોની કિંમતના વાહનો જપ્ત કર્યા છે.

મહેસાણા જિલ્લા ખાણ-ખનીજ અધિકારી પ્રતીક શાહને ચોક્કસ માહિતી મળી હતી કે, વડનગરના શાહપુર ગામે કરબટીયા રોડ પર આવેલી એક ખેડૂતની ખાનગી જમીનમાં કોઈપણ મંજૂરી વિના ગેરકાયદેસર માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિલીપ રબારી અને તેમની ટીમે ઓચિંતી રેડ પાડી હતી.

ખાણ-ખનીજ વિભાગની આ કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી ખનન કાર્યમાં રોકાયેલું એક લોડર મશીન, એક માટી ભરેલું ડમ્પર સહિત ટીમે આ બંને વાહનો મળી કુલ ₹65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ખાનગી જમીનમાંથી મોટા પાયે માટી ઉલેચી લેવામાં આવી હતી. વિભાગ દ્વારા ઘટનાસ્થળે ખોદકામ કરવામાં આવેલા ખાડાઓની ઊંડાઈ અને વિસ્તારની ચોક્કસ માપણી હાથ ધરવામાં આવી છે. આ માપણીના આધારે સરકારની તિજોરીને થયેલા નુકસાનનો અંદાજ લગાવી ડમ્પર અને મશીન માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. આગામી દિવસોમાં આ મામલે કડક દંડ વસૂલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ખનીજ વિભાગની આ આક્રમક કામગીરીથી પંથકના ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સંબંધિત સમાચાર