રાધનપુર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારી કમલેશભાઈ ભોજાભાઈ મકવાણાનું રાત્રિ ફરજ દરમિયાન રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. તેઓ છેલ્લા આઠ વર્ષથી નગરપાલિકામાં સેવા આપી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કમલેશભાઈ મકવાણા રાધનપુર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં રોજમદાર તરીકે કાર્યરત હતા. તેઓ આશરે આઠ વર્ષથી નિયમિતપણે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. ગઈકાલે રાત્રે તેઓ પોતાની ડ્યુટી પર હાજર હતા ત્યારે જ તેમનું મોત નીપજ્યું હતું. તેમનો મૃતદેહ પાણીનાં સંપ (અંડરગ્રાઉન્ડ ટાંકો) માંથી મળ્યો હતો. તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.
રાધનપુર : પાણી પુરવઠાના કર્મીનો મૃતદેહ પાણીના ટાંકામાંથી મળ્યો

સંબંધિત સમાચાર
પાટણપાટણ હેડ પોસ્ટઓફિસ ખાતે રક્ષાબંધન પર્વ માટે વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ
1 દિવસ પહેલા
પાટણઅમદાવાદ સાસરીમાં પકોડીનો ધંધો કરતા યુવકે વતન પાટણમાં ગળેફાંસો ખાધો
1 દિવસ પહેલા
પાટણસમીમાં જમીનના નકશામાં વાસ્તવિક કબજામાં વિસંગતતાથી ખેડૂતો પરેશાન
1 દિવસ પહેલા
પાટણરાધનપુર APMC ચેરમેન અને આગેવાનો વિરુદ્ધ વાયરલ વીડિયો મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ
2 દિવસ પહેલા
