રાધનપુર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારી કમલેશભાઈ ભોજાભાઈ મકવાણાનું રાત્રિ ફરજ દરમિયાન રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. તેઓ છેલ્લા આઠ વર્ષથી નગરપાલિકામાં સેવા આપી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કમલેશભાઈ મકવાણા રાધનપુર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં રોજમદાર તરીકે કાર્યરત હતા. તેઓ આશરે આઠ વર્ષથી નિયમિતપણે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. ગઈકાલે રાત્રે તેઓ પોતાની ડ્યુટી પર હાજર હતા ત્યારે જ તેમનું મોત નીપજ્યું હતું. તેમનો મૃતદેહ પાણીનાં સંપ (અંડરગ્રાઉન્ડ ટાંકો) માંથી મળ્યો હતો. તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.
રાધનપુર : પાણી પુરવઠાના કર્મીનો મૃતદેહ પાણીના ટાંકામાંથી મળ્યો

સંબંધિત સમાચાર
પાટણપાટણ RTO માં સર્વર ઠપ રહેતાં અરજદારોને ધરમના ધક્કા પડતાં રોષ વ્યાપ્યો
2 દિવસ પહેલા
પાટણપાટણ તંત્રની મોટી કાર્યવાહી: કાકોશીમાં ડેરી પર દરોડો, 74 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુર: રથયાત્રા પૂર્વે સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ATS દ્વારા 5 શંકાસ્પદોની અટકાયત
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીમાં મોટો નિર્ણય: LIC સર્વેક્ષણ બાદ 25 કોલેજો થશે બંધ!
2 દિવસ પહેલા
