અમદાવાદ વિમાન દુર્ઘટનામાં હિંમતનગરની પાયલ ખટીક્નું દુઃખદ અવસાન

સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિવારને સાંત્વના આપી, મદદની ખાત્રી આપી
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતેથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171ના દુઃખદ ક્રેશમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની પાયલ ખટીકનું નિધન થયું છે. આ ઘટનાએ સમગ્ર પરિવાર અને સમાજને શોકમાં ડુબાડી દીધો છે.
મૂળ રાજસ્થાન અને હિંમતનગર ખાતે છૂટક મજૂરી કરતા પરિવારની દીકરી ગુમાવતા ભારે આક્રંદ.પિતા સુરેશભાઇ ખટીક લોડીં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બે બહેન એક ભાઈ માતા પિતા સહિત પાંચનો પરિવાર. આ દુખદ ઘટનાના પગલે વહિવટી તંત્ર દ્રારા પરીવારની રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. તેમના DNA ટેસ્ટના નમૂના લઈ અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. તેમજ મૃતદેહની ઓળખ થયા બાદ મૃત દેહ હિંમતનગર લઈ આવવા સાથેની અનુંસાંગીક તૈયારીઓ વહિવટી તંત્ર દ્રારા કરાઇ છે. પરિવાર આ અણધારી આફતથી શોકમાં ગરકાવ થયો છે. પાયલબેનના નિધનના સમાચાર મળતાં જ પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુઃખની ઘડીમાં હિંમતનગર મામલતદાર પરમાર, નાયબ મામલતદાર અશોકભાઇ, પરિવારજનોની મુલાકાત લઈ, તેમને સાંત્વના પાઠવી હતી. અધિકારીઓએ પરિવારને આ દુઃખદ ઘડીમાં તમામ શક્ય સહાયનું આશ્વાસન આપ્યું છે.
ટેગ્સ:#Himmatnagar#Sabarkantha District#Family Tragedy#Administrative Support#Air India Flight AI 171#Ahmedabad Plane Crash#DNA Testing#Payal Khatik#Mourning and Grief#Body Identification#Support for Victims' Families
સંબંધિત સમાચાર
સાબરકાંઠાકેમિસ્ટોની હડતાળ: સાબરકાંઠામાં ૮૪૦ દવાની દુકાનો બંધ રાખી કલેક્ટરને અપાયું આવેદન
18 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની જનગણના ૨૦૨૭'માં સક્રિય યોગદાન આપવા અપીલ
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા LCBને મોટી સફળતા: અપહરણ-દુષ્કર્મ કેસનો 3 વર્ષથી ફરાર કેદી ઝડપાયો
4 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરના કરણપુર પાસે આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
4 દિવસ પહેલા
