રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા3 જાન્યુઆરી, 2025| Super Admin

પાલનપુરમાં પટેલ આમલેટનો વિરોધ: પાટીદારોએ દુકાનનું નામ બદલવાની કરી માંગ

પાલનપુરમાં પટેલ આમલેટનો વિરોધ: પાટીદારોએ દુકાનનું નામ બદલવાની કરી માંગ
અમરેલીની પાટીદાર દીકરી મુદ્દે પણ ન્યાયની ગુહાર: પાલનપુરમાં પટેલ નામની એક આમલેટની દુકાન શરૂ થઈ છે. જેની સામે પાટીદાર સમાજે વિરોધ નોંધાવ્યો છે. પાટીદાર સમાજે દુકાનનું નામ બદલવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત અમરેલી માં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે પણ પાટીદાર અગ્રણી ઓ સહિત એસ.પી.જી.એ આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી. પાલનપુરમાં પટેલ આમલેટ નામ ની દુકાનનો પ્રારંભ થયો છે. જોકે, "પટેલ" અટકધારી દુકાનના નામે માંસાહારી વસ્તુઓના વેચાણથી પાટીદાર સહિત સમગ્ર સનાતન ધર્મની લાગણી દુભાઈ રહી છે. પટેલ સરનેમ ધારી દુકાનમાં માંસાહારના વેચાણથી પટેલ જ્ઞાતિ સાથે હિંદુ ધર્મનું અપમાન થતું હોઇ આ દુકાનનું નામ બદલવાની માંગ સાથે આજે પાટીદાર સમાજે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું હોવાનું યુવા પાટીદાર અગ્રણી પીયૂષભાઈ પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત અમરેલીમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે પણ લાલઘૂમ થયેલા પાટીદાર સમાજ સહિત એસ.પી.જી.એ બનાવને વખોડી કાઢતા જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી હતી. આ પ્રસંગે પાલનપુર નગરપાલિકા ના કારોબારી ચેરમેન પીયૂષભાઈ પટેલ, કનુભઈ પટેલ, ગીરીશભાઈ જગાણિયા સહિતના પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર