પાટણથી ખારીધારીયાલ જતી એસ.ટી. બસમાં કંડક્ટરની બિનજવાબદાર વર્તણૂકથી મુસાફરોની સલામતી જોખમમાં મૂકાઈ હતી. સવારે 6:50 કલાકે પાટણથી નીકળેલી બસમાં કંડક્ટરે ચાલુ વાહનમાં કચરાપેટીમાં રહેલો કચરો સળગાવ્યો હતો. મુસાફરોએ પ્લાસ્ટિકની વાસ આવતા કંડક્ટરને આગ હોલવી દેવા વિનંતી કરી. જો કે, કંડક્ટરે મુસાફરોની વિનંતી અવગણી અને અડિયા બસ સ્ટેન્ડ સુધી કચરો સળગતો રહ્યો.એસ.ટી.નું સૂત્ર 'સલામત સવારી અમારી' હોવા છતાં કંડક્ટરની આ વર્તણૂકથી મુસાફરોની સુરક્ષા જોખમાઈ. કંડક્ટરે કચરો સળગાવ્યા બાદ તેને બુઝાવવાની કોઈ કાળજી ન લીધી. આગની દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોની રહેત તે પ્રશ્ન ઉભો થયો છે. આ અંગે પાટણ ડેપો મેનેજર વિપુલભાઈએ જણાવ્યું કે આ કંડક્ટર 11 માસના કરાર આધારિત કર્મચારી છે. તેમને બોલાવીને નિવેદન લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
પાટણ; કંડક્ટરે ચાલુ બસમાં કચરાપેટીમાં કચરો સળગાવ્યો

ટેગ્સ:#public safety#passenger safety#passenger complaints#Safety Protocols#Transport Regulations#Contract Employee#Irresponsible Behavior#ST Bus Incident#Garbage Burning#Patan to Kharidhariyal#Fire Hazard#Conductor Accountability#Fire Risk#Bus Service Standards
સંબંધિત સમાચાર
પાટણપાટણના ચતુર્ભુજ બગીચા નજીક એપલ સલૂન- બ્યુટી પાલૅરની આડમાં ચાલતું જુગારધામ પકડાયું
1 અઠવાડિયા પહેલા
પાટણપાટણના ખેડૂતોએ NH - 68 બાયપાસ એલાઇનમેન્ટ સામે વિરોધ પ્રદર્શન કર્યુ
1 અઠવાડિયા પહેલા
પાટણપાટણના મોટીભાટિયાવાડ અને રઘુનાથજી પોળમાં અશાંત ધારો લાગુ કરવા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત
1 અઠવાડિયા પહેલા
પાટણપાટણના સિદ્ધિ સરોવરમાં જાળમાંથી જળચરોને જીવદયા પ્રેમીઓએ મુક્ત કર્યા
1 અઠવાડિયા પહેલા
