રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા14 મે, 2026| Super Admin

વિસનગરના ઐતિહાસિક ત્રણ દરવાજા ટાવરનો ભાગ ધરાશાયી: મોચીકામ કરતા યુવકનો આબાદ બચાવ

વિસનગરના ઐતિહાસિક ત્રણ દરવાજા ટાવરનો ભાગ ધરાશાયી: મોચીકામ કરતા યુવકનો આબાદ બચાવ

વિસનગર શહેરની શાન ગણાતા ઐતિહાસિક ત્રણ દરવાજા ટાવર ખાતે બુધવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. ટાવરના ઉપરના જર્જરિત ભાગમાંથી અચાનક સિમેન્ટના મોટા પોપડા નીચે પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, ટાવરની નીચે બેસીને મોચીકામ કરતો યુવક તે સમયે ચા પીવા ગયો હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો. જો તે ત્યાં હાજર હોત, તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી.

આ ટાવર શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા ગૌરવપથ પર આવેલો છે, જ્યાંથી રોજના હજારો વાહનચાલકો અને રાહદારીઓ પસાર થાય છે. ટાવરનો કેટલોક હિસ્સો લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકોમાં સતત ભયનો માહોલ રહે છે. ભૂતકાળમાં પણ અહીં પોપડા પડવાની નાની-મોટી ઘટનાઓ બની ચૂકી છે, જે તંત્રની બેદરકારી સૂચવે છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, અગાઉ ટાવરનું રિનોવેશન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ યોગ્ય જાળવણીના અભાવે હાલત ફરી બગડી છે. આ ઐતિહાસિક વિરાસતની સુરક્ષા અને જનતાના જીવના જોખમને ધ્યાને રાખીને, તંત્ર દ્વારા સત્વરે આ ટાવરનું સંપૂર્ણ રિનોવેશન કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

ટેગ્સ:#Visnagar

સંબંધિત સમાચાર